કુતુબ મિનારમાં હવેથી આ ધર્મના લોકોને પૂજા માટે પ્રવેશ મળશે નહીઃ કોર્ટે આપ્યો ચુકાદો. જાણો વિગત

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 11 ડિસેમ્બર 2021    

શનિવાર.

દિલ્હી જગપ્રસિદ્ધ કુતુબ મિનારમાં હિંદુ અને જૈન દેવતાઓની મૂર્તિના અભિષેક અને પૂજા કરવા માટે મંજૂરી માગતી એક અરજી  દિલ્હીની કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. કોર્ટે જોકે આ અરજીને ફગાવી દીધી છે. હિંદુ અને જૈન ધર્મના લોકોને કુતુબ મિનારમાં મૂર્તિની પૂજા કરવાનો અધિકાર આપો એવી અરજી એક એડવોકેટે દિલ્હીની કોર્ટમાં કરી હતી. કેન્દ્ર સરકારને એક ટ્રસ્ટ બનાવવા માટે અને કુતુબ પરિસરમાં રહેલા મંદિરને તેને સોંપવા માટે ટ્રસ્ટ કાયદા 1882 મુજબ યોગ્ય આદેશ આપવાની વિનંતી પણ કરવામાં આવી હતી.

આ અરજી મુજબ મોહમ્મદ ધોરીના સૈન્યના સેનાપતિ કુતુબુદ્દીન એબકને 27 મંદિર અડધા તોડી પાડયા હતા અને તેમાની સામગ્રી ફરી વાપરીને પરિસરમાં કુવ્વત-ઉલ-ઈસ્લામ મસ્જિદ બાંધી હતી. 

અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે 27 મંદિરના મુખ્ય દેવતા, જ્યોત પ્રમુખ દેવતા તીર્થંકર ભગવાન ઋષભદેવ અને પ્રમુખ દેવતા ભગવાન વિષ્ણુ, ભગવાન ગણેશ, ભગવાન શિવ, દેવી ગૌરી, ભગવાન સૂર્ય, ભગવાન હનુમાનનો તેમા સમાવેશ થાય છે. તેથી તે પરિસરમાં પ્રતિષ્ઠાપના અને પૂજા કરવાનો અધિકાર છે.

ઓમીક્રોનના ખતરા વચ્ચે ગુજરાતના 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ યથાવત, આ તારીખ સુધી અમલમાં રહેશે; જાણો વિગતે 

જોકે કોર્ટે ભૂતકાળની ભૂલનો આધાર માનીને વર્તમાન અને ભવિષ્યની શાંતતા બગાડો નહીં એવું કહીને આ અરજીને ફગાવી દીધી હતી.  

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More