Site icon

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની મુશ્કેલી વધી, જળયુક્ત શિવાર યોજના બાદ હવે આ કામની પણ થશે તપાસ; ઠાકરે સરકારે આપ્યો આદેશ  

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 10 નવેમ્બર, 2021

Join Our WhatsApp Community

બુધવાર

જળયુક્ત શિવાર યોજના બાદ હવે દેવેન્દ્ર ફડણવીસના કાર્યકાળમાં થયેલા વધુ એક કામની તપાસ થશે.

પ્રાપ્ત જાણકારી મુજબ મહારાષ્ટ્રના વીજળી વિભાગે ફડણવીસ સરકારના સમયગાળા દરમિયાન રૂ. 6,500 કરોડના માળખાકીય કાર્યોની તપાસ કરવાનો નિર્ણય લીધો છે.  

આ માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. સાથે જ તેમને આગામી 1 ડિસેમ્બર સુધીમાં રિપોર્ટ સુપરત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.  

હાલમાં રાજ્યની ઠાકરે સરકાર પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના ડ્રીમ પ્રોજેક્ટ જળયુક્ત શિવાર (તાલાબ) યોજનાની તપાસ કરાવી રહી છે.

ઉલ્લેખનીય છે કે MSEDCL એ રાજ્યમાં વીજ વિતરણ વ્યવસ્થાને સુધારવા માટે છેલ્લા 14 વર્ષમાં અનેક માળખાકીય વિકાસ કાર્યો હાથ ધર્યા છે. 

2007 થી 2014 સુધી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ I હેઠળ રૂ. 12,000 કરોડના કામો કરવામાં આવ્યા હતા, જ્યારે 2014 થી 2019 સુધીમાં, રૂ. 6,500 કરોડના કામો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ II હેઠળ કરવામાં આવ્યા હતા.

લ્યો કરો વાત? મુંબઈ શહેરમાં પાંચ હજાર રૂપિયામાં વેચાય છે રીક્ષા. હવે આ વાતનો ખુલાસો થયો, અનેકની ધરપકડ

Pod Taxi Mumbai: વાંદ્રે-કુર્લા પોડ ટેક્સી દેશના એકમાત્ર મોડેલ પ્રોજેક્ટ તરીકે અમલ કરવા શિંદેના નિર્દેશો
Maharashtra Monsoon: મહારાષ્ટ્રમાંથી આ તારીખ પહેલા વિદાય નહીં લે ચોમાસું, ફરી વરસશે મેઘરાજા, એલર્ટ જાહેર.
Women Empowerment Gujarat: આત્મનિર્ભર સ્ત્રીનું જીવંત દ્રષ્ટાંત એટલે શિક્ષણ, મહેનત અને સંકલ્પબળથી સફળ બનેલી ‘સુવાસિની સ્વસહાય જૂથ’ની મહિલાઓ
Ahmedabad Railway Division: સાબરમતી લોકો શેડે ઇલેક્ટ્રિક લોકોમોટિવનું પ્રથમ ઇન્ટરમીડિયેટ ઓવરહોલ (IOH) સફળતાપૂર્વક પૂર્ણ કર્યું.
Exit mobile version