Site icon

શિવસેના કોની? ઉદ્ધવ ઠાકરેની કે પછી એકનાથ શિંદેની…? ચૂંટણી પંચની સુનાવણીમાં બંને જૂથે રાખ્યા મુદ્દા..

શિવસેના ઉદ્ધવ ઠાકરેની કે એકનાથ શિંદેની? ચૂંટણી પંચ આ અંગે સુનાવણી કરી રહ્યું છે. 40 મિનિટની સુનાવણી બાદ શિવસેનાના નેતા સંજય રાઉત એક પણ શબ્દ બોલ્યા વિના પાછલા દરવાજેથી ચૂંટણી પંચની ઓફિસમાંથી નીકળી ગયા હતા. હંમેશા મીડિયા સાથે વાત કરતા સંજય રાઉત આ વખતે મીડિયા સાથે વાત કર્યા વગર જ નીકળી ગયા હતા.

EC rejects suggestions of final order on Shiv Sena poll symbol dispute ahead of Maha By-polls

પેટાચૂંટણી પહેલા શિવસેનાના ચૂંટણી ચિહ્ન પર વિવાદ, ECએ અંતિમ આદેશ માટેના સૂચનોને નકારી કાઢ્યા

News Continuous Bureau | Mumbai

શિવસેના ઉદ્ધવ ઠાકરેની ( uddhav thackeray ) કે એકનાથ શિંદેની ( eknath shinde ) ? ચૂંટણી પંચ આ ( Election commissions ) અંગે સુનાવણી કરી રહ્યું છે. 40 મિનિટની સુનાવણી બાદ શિવસેનાના નેતા સંજય રાઉત એક પણ શબ્દ બોલ્યા વિના પાછલા દરવાજેથી ચૂંટણી પંચની ઓફિસમાંથી નીકળી ગયા હતા. હંમેશા મીડિયા સાથે વાત કરતા સંજય રાઉત આ વખતે મીડિયા સાથે વાત કર્યા વગર જ નીકળી ગયા હતા.

Join Our WhatsApp Community

શિંદે જૂથ તરફથી મહેશ જેઠમલાણી અને ઠાકરે જૂથ તરફથી કપિલ સિબ્બલે ચૂંટણી પંચમાં દલીલો કરી હતી. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર, ચૂંટણી કમિશનર અનુપ પાંડે અને ચૂંટણી કમિશનર અરુણ ગોયલ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. બંને પક્ષો દ્વારા દાખલ કરાયેલા દસ્તાવેજો અંગે દલીલો કરવામાં આવી હતી.

ચૂંટણી પંચમાં ઠાકરે જૂથની દલીલ

જ્યાં સુધી સુપ્રીમ કોર્ટમાં નિર્ણય ન આવે ત્યાં સુધી પંચે સુનાવણી હાથ ધરવી જોઈએ નહીં. અથવા અમને કહો કે આ દલીલ પ્રાથમિક છે કે અંતિમ? અમે તે મુજબ દલીલ કરીશું. જો સુપ્રીમ કોર્ટ બળવાખોરોને ગેરલાયક ઠેરવે તો પંચ દ્વારા આપવામાં આવેલ કોઈપણ નિર્ણય હાસ્યાસ્પદ ગણાશે તેમ કપિલ સિબ્બલે જણાવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો:  મોસ્કોથી ગોવાની ફ્લાઇટમાં બોમ્બની આશંકા, જામનગર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ… પ્રવાસીઓના જીવ અધ્ધર..

શિંદે જૂથની દલીલ

આજે કોઈને ગેરલાયક ઠેરવવામાં આવ્યા નથી, તો શિવસેનાનું ધનુષબાણ કોનું છે? તે નિર્ણય શક્ય છે. આ દરમિયાન શિંદે જૂથના વકીલ મહેશ જેઠમલાણીએ ધારાસભ્યો અને સાંસદોની સંખ્યાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે કોઈપણ વિધાનસભા અને બંધારણમાં તેના મહત્વને અવગણી શકાય નહીં. ધારાસભ્યો અને સાંસદોની સંખ્યા અનુસાર એકનાથ શિંદે જૂથ બહુમતીમાં છે.

શિંદે જૂથનો દાવો છે કે તેની પાસે 12 સાંસદો, 40 ધારાસભ્યો, 711 સંગઠનાત્મક પ્રતિનિધિઓ, 2046 સ્થાનિક સ્વરાજ્યના પ્રતિનિધિઓ અને લગભગ 4 લાખ પ્રાથમિક સભ્યો છે. આ પૃષ્ઠભૂમિમાં ચૂંટણી પંચનો નિર્ણય મહત્વનો બની રહેશે.

જો અમારી પ્રાથમિક દલીલ ફગાવી દેવામાં આવે તો પંચ દ્વારા આદેશ કરવો જોઈએ, તો અમે અપીલ કરી શકીએ છીએ, એમ સિબ્બલે જણાવ્યું હતું. જેના કારણે તેમની અને મહેશ જેઠમલાણી વચ્ચે બોલાચાલી થઈ હતી. જો કે, કમિશને સ્પષ્ટ કર્યું કે અમે સાથે મળીને આદેશ આપીશું.

આ સમાચાર પણ વાંચો:  ટૂંક સમયમાં પટરી પર દોડશે બીજા તબક્કાની મેટ્રો 2A અને 7 લાઇન, બસ હવે ‘આ’ પ્રમાણપત્રની જોવાઈ રહી છે રાહ…

Ajit Pawar Funeral: અંતિમ સંસ્કારની ભીડમાં તસ્કરોનો હાથફેરો! અજિત પવારની અંતિમ યાત્રામાં ગઠિયાઓએ મચાવ્યો તરખાટ, અનેક લોકોના ઘરેણાં ગાયબ
Ajit Pawar Plane Crash Investigation: અજિત પવારનું વિમાન અચાનક કેવી રીતે પડ્યું? સંજય રાઉતનો ગંભીર સવાલ – ‘કંઈક તો ગરબડ છે’
Sunetra Pawar: સુનેત્રા પવારના ડેપ્યુટી CM પદ પર ઉદ્ધવ જૂથનો પલટવાર, ભાજપના ‘પ્લાન’નો પર્દાફાશ
India GDP Growth 2026: ભારતની આર્થિક તાકાતનો ડંકો: GDP ગ્રોથમાં અમેરિકાને પછાડ્યું, એલોન મસ્કે કહી આવી વાત
Exit mobile version