Site icon News Continuous Bureau | Mumbai

કોરોના મહામારી તથા અતિવૃષ્ટિમાં સમાજસેવા કરનારા મહાવીરોનું જનકલ્યાણ સામાજિક સંસ્થા – કોલ્હાપૂર કરશે સન્માન; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 29  સપ્ટેમ્બર 2021

Join Our WhatsApp Channel

બુધવાર

કોરોના મહામારી થતા ઓગસ્ટ મહિનામાં મહારાષ્ટ્રના અનેક જિલ્લામાં થયેલી અતિવૃષ્ટિ દરમિયાન જરૂરિયાતમંદોની પડખે રહીને તેમને મદદ કરનારાઓની કામગીરીને બિરદાવવામાં આવવાની છે. ભારત સરકારથી સંલગ્ન રહેલી જનકલ્યાણ સામાજિક સેવા સંસ્થા – કોલ્હાપૂર દ્વારા ગરીબોની સેવા કરનારા તથા વિવિધ ક્ષેત્રમાં ઉલ્લેખનીય ફાળો આપનારાઓનો ગુણગૌરવ સમારંભ રાખવામાં આવ્યો છે. 

આ સન્માન મેળવનારામાં સમસ્ત મહાજન સમાજના ટ્રસ્ટી, અગ્રણી સમાજસેવક અને થાણેના જૈન અગ્રણી ગિરીશ શાહ સતરાનો પણ સમાવેશ થાય છે. તેઓએ કોરોના કાળની સાથે જ ઓગસ્ટ મહિનામાં રાજયના કોંકણ સહિત અનેક જિલ્લામાં થયેલી અતિવૃષ્ટિ દરમિયાન મદદે દોડી ગયા હતા. અસરગ્રસ્તોને ભોજન વિતરણની સાથે જ અનાજ, કપડા, ઘરવખરીનો સામાન સહિતની અનેક મદદ તેમણે કરી હતી. એમની સાથે મુંબઈના અગ્રણી સમાજસેવક જયેશ શાહ સહિત જળગાંવ, લાતુર, સોલાપુર,ધુળે, બદલાપુર શહેરોના સમાજસેવકોનો પણ સમાવેશ થાય છે.

મહારાષ્ટ્ર સરકારની આ યોજના હેઠળ મફતમાં મળતું ભોજન બંધ. હવે ચૂકવવા પડશે આટલા પૈસા; જાણો વિગત

આ કાર્યક્રમનું આયોજન 3 ઓક્ટોબરના કોલ્હાપુરમાં ઉદ્યમ ગરનમાં રાખવામાં આવ્યો છે. રાજકીય, સામાજિક, ધાર્મિક ક્ષેત્રના માન્યવર હસ્તે આ પુરસ્કારનું વિતરણ કરવામાં આવવાનું છે.

Thane Gymkhana Death થાણેના જીમખાનામાં ૨૩ વર્ષીય યુવકનું ગોળી વાગવાથી રહસ્યમય મોત, આત્મહત્યાની આશંકાએ પોલીસ તપાસ શરૂ
Brutal Murder Investigation નવી મુંબઈમાં લોહિયાળ રાત સીબીડી બેલાપુરમાં યુવકની ધારદાર શસ્ત્રથી કરપીણ હત્યા, વિસ્તારમાં ફફડાટ!
SIR Campaign શું છે મતદાર યાદી માટેની ‘SIR’ ઝુંબેશ? જાણો શું છે આ પ્રક્રિયા અને શા માટે છે મહત્વની
Railway Update પ્રવાસીઓ સાવધાન! 24 જુલાઈ સુધી લોનાવાલાકરજત ઘાટમાં કામગીરીને લીધે ટ્રેન વ્યવહાર પ્રભાવિત, જાણો કઈ ટ્રેનો રદ થઈ?
Exit mobile version