ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
05 ઓગસ્ટ 2020
સામાન્ય રીતે જુલાઈમાં ચોમાસા દરમિયાન થતાં લેપ્ટોસ્પાઇરોસિસ જેવા કેસોથી આ વર્ષે એક પણ મૃત્યુ નો કેસ નોંધાયો નથી. છેલ્લાં પાંચ વર્ષમાં બીએમસી ના ચોપડે નોંધાયેલી આ સૌથી મોટી ઘટના છે. જુલાઈ 2019 માં ચોમાસામાં કુલ 74 કેસો પાણીજન્ય રોગોથી નોંધાયા હતા. જેમાં પાંચનાં મોત થયાં હતાં. જુલાઈ 2018 માં, 101 કેસ અને છ મોત થયા હતા, જ્યારે 2017 માં 59 કેસ અને ત્રણ મૃત્યુ થયા હતા.
મનપાના એક અધિકારીના જણાવ્યાં મુજબ વરસાદના પાણીથી બેક્ટેરિયાનું સંક્રમણનો ઉભું થાય છે. પરંતુ આ વર્ષે કોરોનાની બીમારીને કારણે મોટા ભાગના લોકો ઘરે જ છે, અને આરોગ્યની પૂરતી કાળજી લઈ રહયાં છે. શહેરના કેટલાક ભાગોમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ જવાના કિસ્સાઓ નોંધાયા જરૂર છે. પરંતુ હજી સુધી પાણીજન્ય મોત થયાનું નોંધાયું નથી."
બીએમસીએ જૂન-જુલાઈમાં મેલેરિયાના કેસોમાં વધારો થયા પછી સાર્વજનિક સ્થળોએ સાફ સફાઈ પાર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. મનપાએ આપેલી માહિતી મુજબ જૂન મહિનામાં મેલેરિયાના પણ 328 કેસ નોંધાયા હતા. પરંતુ હવે મેલેરિયા પણ કાબુમાં આવી ગયો છે. સારવાર કરી સ્વસ્થ થઈને ગયા છે.” એક જાણીતી હોસ્પિટલ ના નિષ્ણાત ના મતે આ વર્ષે ગેસ્ટ્રોએન્ટેરિટિસના કેસોમાં બહુ મોટા પાયે ઘટાડો થયો છે કારણ કે લોકો મોટાભાગે ઘરનું જ ભોજન અને પાણી લઈ રહ્યા છે..
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com