બોમ્બે હાઈકોર્ટે મુંબઈમાં થઇ રહેલા બોગસ રસીકરણ મામલે વ્યક્ત કરી ચિંતા, રાજ્ય સરકાર અને બીએમસીને આપ્યો આ આદેશ 

by Dr. Mayur Parikh

બોમ્બે હાઈકોર્ટે  કાંદિવલીની હીરાનંદની સોસાયટીમાં થયેલા બોગસ રસીકરણ મામલે ચિંતા વ્યક્ત કરી છે. 

કોર્ટે રાજ્ય અને બીએમસીને છેતરપિંડી કે બનાવટી રસીકરણ અભિયાનની ઘટનાઓથી બચવા માટે જરૂરિયાત આધારિત નીતિ ઘડવાનો નિર્દેશ આપ્યો છે. 

સાથે જ ખંડપીઠે રાજ્ય સરકારને 24 જૂન સુધીમાં આ ઘટના અંગેની પોલીસ તપાસનો પ્રગતિ અહેવાલ સુપરત કરવા આદેશ આપ્યો છે.

ઉલ્લેખનીય છે કે કાંદિવલીના હીરાનંદની સોસાયટીમાં આયોજીત શિબિરમાં નકલી એન્ટી કોવિડ -19 રસીથી રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. 

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More