Site icon

ગુજરાત ભાજપમાં ભૂકંપ… આ સાંસદએ અચાનક આપ્યું રાજીનામું.. જાણો આના કયા છે કારણો…

 ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Community

29 ડિસેમ્બર 2020

 ગુજરાત ભાજપમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત ના રાજકારણમાં ફરી ભૂકંપ આવ્યો છે એમ કહી શકાય. ભાજપના ભરૂચના સાંસદ મનસુખ વસાવા એ રાજીનામું આપ્યું છે. વસાવાએ પત્ર લખી પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને રાજીનામું મોકલ્યું છે. 

તેઓએ પક્ષમાં વફાદારીથી કામ કરવા છતાં કેટલીક ભૂલોને લઈ પક્ષને નુકસાન ન પહોંચે તે કારણસર રાજીનામું સોંપ્યું છે એમ જણાવ્યું છે. તેમજ આગામી બજેટ સત્રમાં લોકસભા પદેથી પણ રાજીનામું આપવાનો ઉલ્લેખ કર્યો છે. આનાથી રાજકિય વર્તુળોમાં આ મામલે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે અને તર્કવિતર્ક કરવામાં આવી રહ્યા છે.

બીજીબાજુ ગાંધીનગર કમલમ ખાતે વસાવાને મનાવવા માટે બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે રાજીનામું આપ્યા બાદ મનસુખ વસાવા પણ કમલમ્ પહોંચ્યા છે. હાલમાં સી. આર પાટીલ અને મનસુખ વસાવા વચ્ચે ચર્ચા ચાલી રહી છે. 

સુત્રો મુજબ કેન્દ્ર સરકારની 121 ગામોને ઈકો સેન્સેટિવ ઝોનમાં સમાવેશ પર વસાવાની નારાજગી હતી, જેથી રાજીનામું આપ્યું છે. તેમની નારાજગી દૂર કરી દઈશું. એમ ભાજપના નેતાઓ આશ્વાસન આપી રહયાં છે.

 

Nylon Manja Ban: નાયલોન માંજાનો જીવલેણ ખેલ હવે નહીં ચાલે! બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકાર પાસે માંગ્યો એક્શન પ્લાન; પ્રતિબંધના કડક અમલ માટે ૪ સપ્તાહની ડેડલાઈન
Pune Investment Fraud: પુણેમાં રોકાણકારો સાથે ₹4 કરોડની છેતરપિંડી: શેરબજાર અને ભિશીના નામે ઊંચા વળતરની લાલચ આપી એક મહિલા સહિત 4 સામે ગુનો દાખલ
Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Exit mobile version