Site icon

ગુજરાત ભાજપમાં ભૂકંપ… આ સાંસદએ અચાનક આપ્યું રાજીનામું.. જાણો આના કયા છે કારણો…

 ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Community

29 ડિસેમ્બર 2020

 ગુજરાત ભાજપમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત ના રાજકારણમાં ફરી ભૂકંપ આવ્યો છે એમ કહી શકાય. ભાજપના ભરૂચના સાંસદ મનસુખ વસાવા એ રાજીનામું આપ્યું છે. વસાવાએ પત્ર લખી પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને રાજીનામું મોકલ્યું છે. 

તેઓએ પક્ષમાં વફાદારીથી કામ કરવા છતાં કેટલીક ભૂલોને લઈ પક્ષને નુકસાન ન પહોંચે તે કારણસર રાજીનામું સોંપ્યું છે એમ જણાવ્યું છે. તેમજ આગામી બજેટ સત્રમાં લોકસભા પદેથી પણ રાજીનામું આપવાનો ઉલ્લેખ કર્યો છે. આનાથી રાજકિય વર્તુળોમાં આ મામલે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે અને તર્કવિતર્ક કરવામાં આવી રહ્યા છે.

બીજીબાજુ ગાંધીનગર કમલમ ખાતે વસાવાને મનાવવા માટે બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે રાજીનામું આપ્યા બાદ મનસુખ વસાવા પણ કમલમ્ પહોંચ્યા છે. હાલમાં સી. આર પાટીલ અને મનસુખ વસાવા વચ્ચે ચર્ચા ચાલી રહી છે. 

સુત્રો મુજબ કેન્દ્ર સરકારની 121 ગામોને ઈકો સેન્સેટિવ ઝોનમાં સમાવેશ પર વસાવાની નારાજગી હતી, જેથી રાજીનામું આપ્યું છે. તેમની નારાજગી દૂર કરી દઈશું. એમ ભાજપના નેતાઓ આશ્વાસન આપી રહયાં છે.

 

Sangli Accident: સાંગલીમાં ‘હિટ એન્ડ રન’ કેસ, નશાની હાલતમાં ડ્રાઇવરે 5 ગાડીઓને ટક્કર મારી,આટલા લોકો થયા ગંભીર રીતે ઘાયલ
Jamnagar flyover: જામનગરને મળ્યો સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ફ્લાય ઓવર બ્રીજ
Pankaja Munde PA: મહારાષ્ટ્ર રાજકારણમાં હલચલ: મંત્રી પંકજા મુંડેના PA અનંત ગરજેની ધરપકડ, કલમ ૩૦૬ હેઠળ કેસ દાખલ
Project Suvita Maharashtra: ‘પ્રૉજેક્ટ સુવિતા’ને જોરદાર પ્રતિસાદ: ૫૦ લાખથી વધુ બાળકોના વાલીઓની નોંધણી; મહારાષ્ટ્રમાં ૯૪ લાખ લાભાર્થીઓને રસીકરણના SMS સંદેશ
Exit mobile version