Site icon News Continuous Bureau | Mumbai

લગ્ન સમારંભમાં 50 લોકોને મંજૂરી. તેમજ સરકારી અને ખાનગી ઓફિસમાં પણ 50 ટકા સ્ટાફ કામ કરશે. આ રાજ્યમાં લાગુ થઈ નવી ગાઈડલાઈન. જાણો વિગત.

ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો.

મુંબઈ,13 એપ્રિલ 2021.

Join Our WhatsApp Channel

મંગળવાર .

          દેશમાં કોરોનાની બીજી લહેર પેહલી લહેર કરતા વધારે ઘાતક પુરવાર થઈ રહી છે.ત્યાંજ દેશના વિવિધ રાજ્યો પોતાના રાજ્યને કોરોના સંક્રમણથી બચાવવા નવી ગાઈડલાઈન બહાર પડી રહ્યા છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અંગે અધિકારીક જાહેરાત કરી હતી.

      રાજ્ય સરકારના ગૃહવિભાગે જારી કરેલી નવી ગાઇડલાઇન અનુસાર 14 એપ્રિલથી રાજ્યમાં લગ્નપ્રસંગોમાં માત્ર 50 લોકોને એકઠા થવાની મંજૂરી આપવામાં આવી છે. તેમજ રાત્રિ કર્ફયુના સમયમાં કોઈપણ પ્રકારના આયોજન કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ઉપરાંત એપ્રિલ અને મે માસ દરમિયાન આવતા દરેક ધર્મના તહેવારની જાહેર ઉજવણી થઈ શકશે નહિ. રાજ્યના તમામ ધાર્મિક સ્થાનોને 30 એપ્રિલ સુધી બંધ રાખવા માટેની અપીલ કરવામાં આવી છે. આ આંશિક લોકડાઉન માં તમામ સરકારી અને ખાનગી કોર્પોરેશનની ઓફિસો 50 ટકા સ્ટાફ સાથે કાર્ય કરશે.અથવા ઓલ્ટરનેટ દિવસે કર્મચારીઓને ફરજ ઉપર આવે તે માટે વ્યવસ્થા કરવા માટે કહેવામાં આવ્યું છે.

મહારાષ્ટ્રમાં લોકડાઉન માથે નહીં મારવામાં આવે, લોકોને બે દિવસમાં સમય અપાશે.

      ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર પછી ગુજરાત સરકારે પણ કોરોના સંક્રમણને કાબુમાં લાવવા આંશિક લોકડાઉન જાહેર કર્યું છે.

 

Brutal Murder Investigation નવી મુંબઈમાં લોહિયાળ રાત સીબીડી બેલાપુરમાં યુવકની ધારદાર શસ્ત્રથી કરપીણ હત્યા, વિસ્તારમાં ફફડાટ!
SIR Campaign શું છે મતદાર યાદી માટેની ‘SIR’ ઝુંબેશ? જાણો શું છે આ પ્રક્રિયા અને શા માટે છે મહત્વની
Railway Update પ્રવાસીઓ સાવધાન! 24 જુલાઈ સુધી લોનાવાલાકરજત ઘાટમાં કામગીરીને લીધે ટ્રેન વ્યવહાર પ્રભાવિત, જાણો કઈ ટ્રેનો રદ થઈ?
Fake DCP Exposed 10 વર્ષ સુધી IPS બનીને ફરી રહ્યો હતો ઠગ! અમિતાભ બચ્ચન અને જેકી શ્રોફ સાથેના ફોટા બતાવી લાખોની છેતરપિંડી
Exit mobile version