Site icon

Gujarat High Court: પત્નીના 10 વર્ષ માટેના સર્વશ્રેષ્ઠ બ્રહ્મચર્યથી નારાજ પતિ, છુટાછેડા માટે પહોંચ્યો હાઈકોર્ટ.. પછી થયું આ..

Gujarat High Court: ગુજરાત હાઈકોર્ટે છૂટાછેડાના કેસની સુનાવણી કરતા એક એવા પુરુષને છૂટાછેડા મંજૂર કર્યા હતા. કે જેની પત્નીએ બ્રહ્મચર્ય પાળતા, એક દાયકાથી વધુ સમય સુધી પતિ સાથે વૈવાહિક જીવન જીવવાનો ઈન્કાર કર્યો હતો.

Gujarat High Court Upset by wife's best celibacy for 10 years, husband approaches high court for divorce.. Then this happened

Gujarat High Court Upset by wife's best celibacy for 10 years, husband approaches high court for divorce.. Then this happened

News Continuous Bureau | Mumbai

Gujarat High Court: ગુજરાત હાઈકોર્ટમાં છૂટાછેડાનો ( divorce ) એક વિચિત્ર મામલો સામે આવ્યો છે. અહીં એક એવા પુરુષને ( Husband )  છૂટાછેડાની મંજૂરી આપવામાં આવી છે. જેની પત્ની ( Wife ) એક સંપ્રદાયના પ્રભાવને કારણે 10 વર્ષથી વધુના સમય સુધી પતિ સાથે વૈવાહિક જવાબદારીઓ  ( Conjugal Obligations ) નિભાવી રહી ન હતી. એવું કહેવાય છે કે આ પુરુષની પત્ની એક ચોક્કસ ધર્મથી પ્રભાવિત હતી અને તેનાથી પ્રભાવિત થઈને તેણે એક દાયકા સુધી બ્રહ્મચર્યનું ( celibacy ) પાલન કરવાનો સંકલ્પ લીધો હતો. જેના કારણે તેણે તેના પતિ સાથે શારીરિક સંબંધ ( physical relationship ) બાંધવાની ના પાડી હતી. 

Join Our WhatsApp Community

એક અહેવાલ મુજબ કોર્ટે પતિને તેની પત્નીને છૂટાછેડા આપવાની પરવાનગી આપી દીધી છે. આ કિસ્સો અમદાવાદમાં ( Ahmedabad ) પ્રકાશમાં આવ્યો છે. આ યુગલના લગ્ન 2009માં થયા હતા. પતિ એમડી છે અને પત્ની આયુર્વેદની ડોક્ટર છે. પતિએ 2012માં જ ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી હતી. આમાં તેણે ક્રૂરતાનો આરોપ લગાવ્યો હતો કે તેની પત્ની સ્કિઝોફ્રેનિયાથી પીડિત છે અને તેની સાથે શારીરિક સંબંધ બાંધવાનો ઇનકાર કરી રહી છે. એવો અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો.

 2018માં ફેમિલી કોર્ટે પતિની અરજીને ફગાવી દીધી હતી..

પતિએ ફેમિલી કોર્ટમાં કરેલી અરજીમાં એમ પણ કહ્યું હતું કે તેની પત્નીએ કહ્યું હતું કે જો તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધવાનો પ્રયાસ કરવામાં આવશે તો તે આત્મહત્યા કરી લેશે. પતિએ દલીલ કરી હતી કે લગ્ન સમયે તેને તેની પત્નીની માનસિક સ્થિતિ વિશે જાણ કરવામાં આવી ન હતી. જો કે, 2018માં ફેમિલી કોર્ટે પતિની આ અરજીને ફગાવી દીધી હતી.

આ સમાચાર પણ વાંચો : Wheat: શું દેશમાં ઘઉંના ભાવમાં થશે વધારો? સરકારે મોંઘવારી રોકવા માટે લીધું આ મોટું પગલું..

તે જ સમયે જ્યારે પતિને ફેમિલી કોર્ટમાંથી રાહત ન મળી, તો તે હાઈકોર્ટમાં પહોંચી ગયો હતો. અહીં તેણે પોતાની પત્નીની સારવાર કરી રહેલા ડોક્ટરોના નિવેદનો પુરાવા તરીકે કોર્ટમાં રજૂ કર્યા હતા. આ સિવાય તે સાક્ષીઓએ પણ પુરાવો આપ્યો હતો કે, અરજદારની પત્ની 2011 થી તેના ઘરમાં તેની સાથે રહેતી નથી.

આ કેસની સુનાવણી ગુજરાત હાઈકોર્ટમાં જસ્ટિસ બિરેન વૈષ્ણવ અને જસ્ટિસ નિશા ઠાકોરની ખંડપીઠે કરી હતી. બેન્ચે કહ્યું કે પત્નીની બીમારી, વૈવાહિક જવાબદારીઓથી અંતર અને 12 વર્ષ સુધી પતિના ઘરથી દૂર રહેવું એ સાબિત કરવા માટે પૂરતું છે કે લગ્નજીવન તૂટી ગયું છે અને હવે તેને બચાવી શકાય નહીં. કોર્ટે કહ્યું કે આ મામલામાં છૂટાછેડા ન આપી શકાય તેવું કોઈ કારણ નથી. કોર્ટે આ મામલામાં પતિને તેની પત્નીને કાયમી ભરણપોષણ ભથ્થા તરીકે 5 લાખ રૂપિયા ચૂકવવા પણ કહ્યું હતું.

Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
LPG Shortage in Maharashtra: ગેસ સંકટનો મારો! છાણાના ભાવ સોનાને આંબ્યા; હોટલ માલિકોએ હાઈ-ટેક રસોડા છોડી અપનાવ્યા દેશી ચુલા.
Exit mobile version