Site icon

 મુંબઈના ગુજરાતીઓની ઘરવાપસી; લોકો ચાલીને વાપી સુધી પહોંચ્યા 

 ન્યૂઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 10 એપ્રિલ 2021

Join Our WhatsApp Community

શનિવાર

ભારતમાં કોરોનાની વકરતી જતી પરિસ્થિતિને પગલે અનેક રાજ્યોએ પોતાની બોર્ડર સીલ કરી છે અને માત્ર કોરોનાનો નેગેટિવ રિપોર્ટ હોય તેવી વ્યક્તિને જ રાજ્યમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. ગુજરાતે પણ વધતા જતા કોરોના સંક્રમણને પગલે આ નીતિ અપનાવી છે.

મુસાફરોને કોરોના નેગેટિવ ટેસ્ટ રિપોર્ટ વગર પ્રવેશ ના મળતો હોવાથી મુંબઈ અને પનવેલના ૫૦થી વધુ મુસાફરો છુપા રસ્તે ચાલીને વાપી સુધી પહોચ્યા હતા. આ પ્રવાસીઓ રાજસ્થાન અને ગોધરા તરફ જઈ રહ્યા હતા. બોર્ડર પર ચુસ્ત બંદોબસ્ત હોવાથી તેઓ ૭૦ કિલોમીટર જેટલું ચાલીને છુપા રસ્તે વાપી હાઇવે પહોચ્યા હતા અને ત્યાર બાદ ખાનગી ટ્રાવેલ્સની બસમાં પોતાના ગંતવ્ય તરફ રવાના થયા હતા.

દરમિયાન કેટલાક ખાનગી લકઝરી બસમાં બોર્ડર પહોંચ્યા હતા અને બોર્ડર પરથી તેમને પાછા મોકલવામાં આવ્યા ત્યારે સ્થાનિકોએ બતાવેલા અંદરના માર્ગ પર તેઓ ચાલતા-ચાલતા વાપી સુધી આવ્યા હતા. વલસાડ જિલ્લાની આરોગ્ય વિભાગની ટીમ રાજય બહારના પ્રવાસીઓનું ચેકિંગ કરી રહી છે. રાષ્ટ્રીય ધોરી માર્ગ પર પણ કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. 

રેમડેસિવીર કંઇ અમારા ઘરે બને છે? ગુસ્સે થયેલા મહારાષ્ટ્રના પ્રધાને વિચિત્ર જવાબ આપ્યો….

Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
Exit mobile version