Site icon News Continuous Bureau | Mumbai

ભાજપ માટે માટે માથાનો દુખાવો બનેલ હાર્દિક પટેલ આખરે શું કરવા જઈ રહ્યો છે. શું ભાજપના રસ્તે છે?? મિડિયામા પ્રસિદ્ધ થયા આ અહેવાલો..

News Continuous Bureau | Mumbai

ગુજરાતનો કોંગ્રેસ(Gujarat congress)નો વર્કિંગ પ્રેસિડેન્ટ અને પાટીદાર નેતા હાર્દિક પટેલ(Hardik Patel)ના છેલ્લા થોડા દિવસ બદલાયેલા તેવરને કારણે તે કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપ(BJP)માં જોડાય એવા સંકેતો જણાઈ રહ્યા છે.

Join Our WhatsApp Community

ભાજપ માટે માથાનો દુખાવો બની ગયેલો હાર્દિક પટેલનું છેલ્લા થોડા દિવસથી ભાજપ અને આમ આદમી પાર્ટી(આપ) (AAP) પ્રત્યે નરમ વલણ જણાઈ રહ્યું છે. તો અનેક મુદ્દે તેણે કોંગ્રેસને વખોડી કાઢી હોવાનું જણાઈ આવ્યું છે.

આજે તેણે ગુજરાતમાં અનેક મીડિયા હાઉસને ઇન્ટરવ્યુ આપ્યા હતા, જેમાં તેનો ભાજપ પ્રત્યે સોફ્ટ કોર્નર જણાયો હતો. ગયા મહિને હાર્દિકે 28 માર્ચના જુદા જુદા મુદ્દાઓ પર વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી હતી પણ હકીકતમાં તેણે કંઈ કર્યું નહોતું.

આ સમાચાર પણ વાંચો  : પર્યટકો આનંદો.. હવે સોમનાથ અને ગીર માટે મુંબઈથી સીધી ફ્લાઇટ…જાણો વિગતે

અહીં ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે(Supreme Court) વિસાનગર હિંસાચારમાં તેને વિરુદ્ધમાં ચુકાદો આપ્યો હતો, તેથી શક્ય છે કે તેને આગામી ચૂંટણી લડવામાં અવરોધ આવી શકે છે. રાજકીય સૂત્રોના કહેવા મુજબ જો ભાજપ સરકાર (BJP Govt)તેના પ્રત્યે નરમ વલણ રાખે તો કદાચ તેને સુપ્રીમમાંથી રાહત મળી શકે છે. તેમાં પાછું થોડા દિવસથી હાર્દિક પટેલના ભાજપ પ્રત્યેના વલણ બદલાયેલું જણાઈ રહ્યું છે ત્યારે ગુજરાતની આગામી વિધાનસભા(Gujarat Assembly Election)ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તે બહુ જલદી ભાજપમાં જોડાઈ જાય એવું પણ અનેક અખબારોમાં અહેવાલ આવી રહ્યા છે.

Maharashtra Politics: શિવસેનામાં ‘આદિત્ય’ યુગની તૈયારી! ઉદ્ધવ ઠાકરે સોંપી શકે છે મોટી જવાબદારી, રાજકીય સમીકરણો બદલાશે
Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Exit mobile version