News Continuous Bureau | Mumbai
Haridwar: ઉત્તરાખંડના હરિદ્વારમાંથી એક અંધશ્રદ્ધાનો ( superstition ) ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં દિલ્હીનો એક પરિવાર 5 વર્ષના બાળકને લઈને ‘હર કી પૌડી’ પહોંચ્યો હતો, જ્યાં બાળકનું ( Kid ) મોત થયું હતું. મામલાની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને બાળકને જિલ્લા હોસ્પિટલમાં લઈ ગઈ. ત્યાં તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો. હાલ પોલીસે બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.
બાળક બ્લડ કેન્સરથી ( blood cancer ) પીડિત
મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ ઘટના સ્થળ પર હાજર લોકોનો આરોપ છે કે તેની સાથે રહેલી માં એ બાળકને ( Ganga ) ગંગામાં ડુબાડીને મારી નાખ્યો હતો. બાળક બ્લડ કેન્સરથી પીડિત હતો. બાળકની રાજધાની દિલ્હીની એક હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી પરંતુ ડોક્ટરોએ હાર માની લીધી અને જણાવ્યું કે તેમના બાળકને બચાવી શકાશે નહીં. પરિવારનું માનવું હતું કે ગંગા નદી તે બાળકને ઠીક કરી શકે છે. એટલે બાળકને લઇને તેઓ અહીં આવ્યા હતાં. દંપતિએ 5 મિનીટ સુધી બાળકને ગંગામાં ( Drowning ) ડુબાડી રાખ્યો હતો. જે બાદ તેનું મૃત્યુ થયું હતું. મામલાની માહિતી મળ્યા પછી, પોલીસ ઘટનાસ્થળે પહોંચી, બાળકના મૃતદેહને કબજામાં લીધો અને તેના માતા-પિતા સહિત ત્રણ લોકોને પણ કસ્ટડીમાં લીધા.
જુઓ વિડીયો
“अंधविश्वास के शिकार, ये मानसिक बीमार”
ब्लड कैंसर से जूझ रहे सात साल के रवि को उसकी मौसी सुधा ने चमत्कार की आस में करीब पांच मिनट तक गंगा में डुबकियां लगावा दीं। बुधवार दोपहर हरकी पैड़ी पर हुई इस घटना को देख कुछ लोगों ने बच्चे को बाहर निकाला, लेकिन तब तक उसकी मौत हो चुकी थी।… pic.twitter.com/yISirinJme
— SANJAY TRIPATHI (@sanjayjourno) January 24, 2024
વિરોધ કરતાં બાળકને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો
દરમિયાન આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ત્રણ લોકો લાંબા સમય સુધી બાળકને પાણીમાં ડૂબાડતા જોવા મળી રહ્યા છે. સ્થળ પર હાજર લોકોએ વિરોધ કરતાં બાળકને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. બાળકના મોતના સમાચારથી સનસનાટી મચી ગઈ હતી. ત્યારે ભીડને જોતાની સાથે જ તે મહિલા પાગલની જેમ જોર-જોરથી હસવા લાગી અને કહેવા લાગી કે હું વચન આપું છું કે બાળક જીવતો થઈ જશે. પરંતુ, આવું ન થયું. દરમિયાન કોઈએ પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસ બાળકના મૃતદેહને જિલ્લા હોસ્પિટલમાં લઈ ગઈ, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.
આ સમાચાર પણ વાંચો : Bihar Politics: ‘નિયતમાં ખોટ… આરજેડી સુપ્રીમો લાલુ યાદવની પુત્રી રોહિણી આચાર્યએ કરેલી આ ત્રણ ટ્વિટ્સે વધાર્યું રાજકીય તાપમાન, પછી કરી દીધા ડીલીટ..
પોલીસ મેડિકલ રિપોર્ટની તપાસ કરશે
મીડિયા રિપોર્ટ્સ મુજબ પોલીસ અધિકારીએ જણાવ્યું કે બાળક બ્લડ કેન્સરથી પીડિત હોવાનું પ્રકાશમાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે ડોક્ટરોએ તેને જવાબ આપી દીધો હતો. આથી પરિવાર બાળકને અહીં લઈ આવ્યો હતો. તેમનું માનવું હતું કે આમ કરવાથી બાળક સાજો થઈ જશે. પરંતુ, આવું ન થયું અને બાળકનું મોત નીપજ્યું. અધિકારીએ વધુમાં કહ્યું કે જો બ્લડ કેન્સરનો દાવો સાચો જણાશે અને બાળકની હત્યાનું કારણ જણાઈ આવશે તો પોલીસ તેને ધ્યાનમાં રાખીને આગળની કાર્યવાહી કરશે. પોલીસ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને કેસની તપાસ કરી રહી છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)