Site icon

બિપોરજોય વાવાઝોડાની અસરથી ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાં વધુ, ક્યાંક વૃક્ષો તો ક્યાંક સ્કૂલની દિવાલ પડી

ઉત્તર ગુજરાતમાં આગાહી પ્રમાણે વરસાદ થયો છે. વાવાઝોડાની અસર રાજસ્થાનના દક્ષિણ તરફ વાવાઝોડું ફંટાવાના કારણે થઈ છે. ગઈકાલથી વરસાદી માહોલ જામ્યો છે. મોડી રાત્રે અતિભારે પવન સાથે વરસાદ પડ્યો છે. અનેક જગ્યાએ વૃક્ષો ધરાસાઈ થવાના બનાવો બન્યા છે. મકાનના પતરા ઉડ્યા હતા.

In Banaskantha in North Gujarat, some trees and some school walls fell due to the impact of Cyclone Biporjoy.

In Banaskantha in North Gujarat, some trees and some school walls fell due to the impact of Cyclone Biporjoy.

News Continuous Bureau | Mumbai

ઉત્તર ગુજરાતમાં આગાહી પ્રમાણે વરસાદ થયો છે. વાવાઝોડાની અસર રાજસ્થાનના દક્ષિણ તરફ વાવાઝોડું ફંટાવાના કારણે થઈ છે. ગઈકાલથી વરસાદી માહોલ જામ્યો છે. મોડી રાત્રે અતિભારે પવન સાથે વરસાદ પડ્યો છે. અનેક જગ્યાએ વૃક્ષો ધરાસાઈ થવાના બનાવો બન્યા છે. મકાનના પતરા ઉડ્યા હતા.

Join Our WhatsApp Community

અલગ અલગ તાલુકાઓમાં 4 ઈંચ સુધી વરસાદ નોંધાયો છે. કચ્છને પ્રભાવિત કર્યા બાદ ઉત્તર ગુજરાત તરફ તેની અસર જોવા મળી હતી. ઘણી જગ્યાએ વાહનો ફસાયા અને પતરા ઉડવાની સ્થિતિ જોવા મળી હતી. તેજ પવનના કારણે વૃક્ષો ધરાસાઈ થયા હતા જેના કારણે કેટલાક વાહનો પણ ફસાયા હતા. બિપોરજોય વાવાઝોડાના કારણે પાલનપુર, વડગામ, દાંતા, ડીસા, લાખણી, ભાભર સહીતના વિસ્તારોમાં આ માહોલ જોવા મળ્યો હતો. અનેક જગ્યાએ વૃક્ષો ધરાસાઈ થયા છે. વહેલી સવારે પવનની ગતિ પણ જોવા મળી હતી.

આ સમાચાર પણ વાંચો: બિપોરજોયના ખતરા બાદ સૌરાષ્ટ્ર, કચ્છમાં થયેલી નુકસાની સામે તંત્ર લાગ્યું કામે

અમિરગઢ તાલુકાના ઢોલિયા ગામની સ્કૂલની દિવાલ પડી

અમિરગઢ તાલુકાના ઢોલિયા ગામની શાળાની દિવાલ ધરાસાઈ થઈ હતી. દિવાલ ધરાસાઈ થઈ ત્યાં પણ વાવાઝોડાની અસર જોવા મળી છે. કેમ કે, ભારે પવન ગઈકાલથી જ ફૂંકાઈ રહ્યો હતો ત્યારે વરસાદ પણ અહીં પડ્યો હતો જેના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે. આ સાથે વરસાદી ઝાપટાના કારણે આ સ્થિતિ સર્જાઈ છે.

Srikakulam: રેલિંગની વચ્ચે ફસાયેલા લોકો, ચીસો પાડતી મહિલાઓ… આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમમાં નાસભાગનો કાળજું કંપાવી દે તેવો વિડિયો આવ્યો સામે
Rohit Arya: પુણેમાં થયા રોહિત આર્યાના અંતિમ સંસ્કાર, જાણો કોણ-કોણ લોકો થયા હતા સામેલ?
PM Modi: પીએમ મોદીએ છત્તીસગઢના નવા વિધાનસભા ભવનનું ઉદ્ઘાટન કર્યું, પૂર્વ પ્રધાનમંત્રી અટલજીને લઈને કહી આ વાત
Andhra Pradesh: આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ મંદિરમાં મચી નાસભાગ, આટલા શ્રદ્ધાળુઓના મોત; સીએમ નાયડુએ વ્યક્ત કર્યો શોક
Exit mobile version