Jal Sanchay Jan Bhagidari: ગુજરાતમાં PM મોદી આ તારીખે “જળ સંચય જન ભાગીદારી” પહેલનો કરાવશે શુભારંભ.

Jal Sanchay Jan Bhagidari: જાણો શું છે જળ સંચય જન ભાગીદારી પહેલનો ઉદ્દેશ્ય?

by Hiral Meria
In Gujarat, PM Modi will launch the Jal Sanchay Jan Bhagidari initiative on this date.

News Continuous Bureau | Mumbai

Jal Sanchay Jan Bhagidari: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 6 સપ્ટેમ્બર, 2024ના રોજ ગુજરાતનાં ( Gujarat ) સુરતમાં સામુદાયિક ભાગીદારી સાથે સંયુક્ત પ્રયાસ સ્વરૂપે હાથ ધરવામાં આવેલી પહેલ “જળ સંચય જન ભાગીદારી”નો શુભારંભ કરાવશે. આ પહેલનો ઉદ્દેશ જળ શક્તિ અભિયાન: કેચ ધ રેઇનની ગતિને મજબૂત બનાવવાનો છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સમગ્ર સમાજના વિઝનથી પ્રેરિત થઈને જળ સંરક્ષણ ( Water conservation ) માટે સમગ્ર સરકારી અભિગમ અને સામુદાયિક ભાગીદારી અને માલિકી પર ભાર મૂકવામાં આવ્યો છે. ગુજરાત સરકારે જળસુરક્ષિત ભવિષ્યને સુનિશ્ચિત કરવા નાગરિકો, સ્થાનિક સંસ્થાઓ, ઉદ્યોગો અને અન્ય હિતધારકોને સંગઠિત કરવાનો પ્રયાસ કર્યો છે. આ પહેલ એ દર્શાવવાનો પ્રયાસ કરે છે કે કેવી રીતે સામુદાયિક જોડાણ અને માલિકી શ્રી મોદીની જળ સુરક્ષાની દ્રષ્ટિને અસરકારક રીતે ટેકો આપી શકે છે અને આગળ વધારી શકે છે. પહેલ હેઠળ બાંધવામાં આવેલા રિચાર્જ સ્ટ્રક્ચર્સ વરસાદી પાણીના સંગ્રહને વધારવામાં અને લાંબા ગાળાના પાણીના ટકાઉપણું પ્રાપ્ત કરવામાં સહાયક બનશે. 

Jal Sanchay Jan Bhagidari: જળ સંચય જન ભાગીદારી પહેલનો ઉદ્દેશ્યઃ

જળ સંચય જન ભાગીદારી પહેલ જળ સંરક્ષણને રાષ્ટ્રીય પ્રાથમિકતા આપવાના પ્રધાનમંત્રીના અડગ સંકલ્પનું પ્રતિબિંબ છે. કાયમી જળ વ્યવસ્થાપન માટેની તેમની જુસ્સાદાર હિમાયત, જેમ કે તેમના ભાષણોમાં સતત ભાર મૂકવામાં આવ્યો હતો, આ પહેલને પ્રેરણા આપી છે. પ્રધાનમંત્રીએ અવારનવાર ભારપૂર્વક જણાવ્યું હતું કે, જળ સુરક્ષા એ માત્ર નીતિગત ઉદ્દેશ જ નથી, પણ એક એવું અભિયાન છે, જેમાં દરેક નાગરિક, ઉદ્યોગ અને સરકારી સંસ્થાઓનાં સહિયારાં પ્રયાસોની જરૂર છે.

જળ સંચય જન ભાગીદારી પહેલનો ઉદ્દેશ જળસંચય માટે ગુજરાતના ( Gujarat Government ) પથપ્રદર્શક અભિગમને વિસ્તૃત કરવાનો છે, જે સામુદાયિક ભાગીદારી અને સીએસઆર-સંચાલિત પ્રોજેક્ટ્સમાં ઊંડા મૂળિયાવાળું મોડેલ છે. આ પહેલનો ઉદ્દેશ જળ શક્તિ અભિયાન : કેચ ધ રેઇન અભિયાનને ( Jal Shakti Abhiyan: Catch the Rain Abhiyan ) વધુ મજબૂત કરવાનો છે, જે વરસાદનાં એક-એક ટીપાંને કિંમતી સંસાધનમાં પરિવર્તિત કરવાનાં પ્રધાનમંત્રીનાં વિઝનને મજબૂત કરશે.

આ પહેલ એક સીમાચિહ્નરૂપ પ્રસંગ બનવાનું વચન આપે છે, જે સમગ્ર ભારતમાં ભવિષ્યના જળ સંચયના પ્રયાસો માટે તખ્તો તૈયાર કરશે. ગુજરાતનું અગ્રણી મોડલ પ્રદર્શિત કરીને તેનો ઉદ્દેશ સામૂહિક કામગીરીને પ્રેરિત કરવાનો છે અને રાષ્ટ્રની સમૃદ્ધિ માટે સ્થાયી જળ વ્યવસ્થાપનના મહત્વને પ્રતિપાદિત કરવાનો છે.

આ સમાચાર પણ વાંચો:  Western Railway : મુસાફરોની માંગને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલવે આ એક્સપ્રેસ ટ્રેનમાં ઉમેરશે જનરલ કેટેગરીના વધારાના કોચ

Jal Sanchay Jan Bhagidari: અસર અને ભવિષ્યની દ્રષ્ટિઃ

“જળ સંચય જન ભાગીદારી” પહેલનો ઉદ્દેશ સીએસઆર-સંચાલિત પહેલો માટે એક પ્રતિકૃતિ મોડેલ બનાવીને જળ સંરક્ષણ તરફના પ્રયાસોને વેગ આપવાનો છે. આ કાર્યક્રમ ગુજરાતની સફળતાને પ્રદર્શિત કરશે, અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પણ આવી જ વ્યૂહરચના અપનાવવા માટે પ્રોત્સાહિત કરશે. આ પ્રક્ષેપણ કાર્યક્રમમાં દેશભરના રાજ્ય નોડલ અધિકારીઓની સંડોવણી આ પહેલના રાષ્ટ્રીય મહત્વને રેખાંકિત કરે છે.

“જળ સંચય જન ભાગીદારી”નો શુભારંભ ભારતની જળ સુરક્ષા તરફની યાત્રામાં એક મહત્વપૂર્ણ પગલું સૂચવે છે. સામુદાયિક ભાગીદારી અને સીએસઆર ભંડોળની શક્તિનો ઉપયોગ કરીને, આ પહેલ દેશભરમાં જળ સંચયના પ્રયત્નો માટે એક નવું ધોરણ સ્થાપિત કરવા માટે તૈયાર છે, જે આવનારી પેઢીઓ માટે કાયમી જળ ભવિષ્યને સુનિશ્ચિત કરશે.

પાશ્વભાગ:

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) તેમના ‘મન કી બાત’ ભાષણમાં જળ સંચયને પ્રોત્સાહન આપ્યું હતું, જેનાથી પ્રેરિત થઈને જળ શક્તિ અભિયાન (જેએસએ)ની શરૂઆત વર્ષ 2019માં દેશના 256 જળ સંકટગ્રસ્ત જિલ્લાઓમાં 2,836 બ્લોક્સમાંથી 1,592 બ્લોક્સમાં થઈ હતી. કોવિડ રોગચાળાને કારણે જેએસએ 2020માં શરૂ કરી શકાયું ન હતું. 2021માં, “જળ શક્તિ અભિયાન: કેચ ધ રેઇન” (જેએસએ: સીટીઆર)ની થીમ સાથે “કેચ ધ રેઇન – જ્યાં તે પડે છે જ્યારે તે પડે છે” થીમ સાથે પ્રધાનમંત્રી દ્વારા દેશભરના તમામ જિલ્લાઓ (ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારો)ના તમામ બ્લોક્સને આવરી લેવા માટે કેચ ધ રેઇન અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. “જળ શક્તિ અભિયાન: કેચ ધ રેઇન” અભિયાન હવે વાર્ષિક સુવિધા બની ગયું છે અને જેએસએની પાંચમી આવૃત્તિ 09.03.2024ના રોજ મુખ્ય થીમ “નારી શક્તિ સે જળ શક્તિ” સાથે શરૂ કરવામાં આવી હતી.

 Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

આ સમાચાર પણ વાંચો: Express Train : ઉત્તર રેલ્વેના દિલ્હી મંડળના પલવલ સ્ટેશન પર નોન ઈન્ટરલોકીંગ કાર્યને કારણે આ ટ્રેન રહેશે રદ.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More