Site icon News Continuous Bureau | Mumbai

થાણેમાં ગેરકાયદે ફેરિયાની ગુંડાગીરી તો જુઓ; પાલિકાના કર્મચારીઓને, કહ્યું-તમારી ગરદન ઉડાવી નાખીશ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 23 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Community

શનિવાર

છેલ્લા કેટલાક મહિનાથી થાણે શહેરમાં ફૂટપાથ અને રસ્તાઓ પર ગેરકાયદે ધંધો કરતા ફેરિયા વિરુદ્ધ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. બે મહિના પહેલાં આ જ કામગીરી દરમિયાન માજીવાડા-માનપાડા વૉર્ડ સમિતિનાં આસિસ્ટન્ટ કમિશનર કલ્પિતા પિંપલે અને તેમના સુરક્ષા ગાર્ડ પર કાસરવડાવલી વિસ્તારમાં એક ફેરિયાએ છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં પિમ્પલે અને તેના સિક્યૉરિટી ગાર્ડની આંગળીઓ કપાઈ ગઈ હતી. આ ઘટના બાદ લોકોમાં ફેરિયાઓ વિરુદ્ધ રોષ જોવા મળ્યો હતો અને થાણે પાલિકાએ ગેરકાયદે ફેરિયાઓ સામે ઝુંબેશ તેજ કરી હતી. જોકે આનાથી ફેરિયાઓને બહુ અસર થઈ નથી અને તેઓ હજુ પણ પહેલાંની જેમ દાદાગીરીપૂર્વક ધંધો કરી રહ્યા છે. આનું ઉદાહરણ તાજેતરમાં ઘોડબંદરમાં જોવા મળ્યું છે.

મામલો એમ છે કે ઘોડબંદરમાં હીરાનંદાની એસ્ટેટ પાસે રોડસાઇડ હોકર્સ ધંધો ચાલુ રાખે છે. આ ડૉ. વિપિન શર્માના બંગલાની પાછળનો વિસ્તાર છે. ત્રણ દિવસ પહેલાં પાલિકાની એક ટુકડી આ વિસ્તારમાં તેમની સામે કાર્યવાહી કરવા ગઈ હતી, ત્યારે નાળિયેર વેચતા એક ફેરિયાએ સ્કવૉડના સ્ટાફને ધક્કો મારવાનો પ્રયાસ કર્યો હતો. આ સાથે તેણે ધમકી આપી કે પહેલાં આસિસ્ટન્ટ કમિશનરની આંગળી કાપવામાં આવતી હતી, હવે ગરદન કાપવામાં આવશે. જે બાદ પાલિકાના બે-ત્રણ કર્મચારીઓએ હિંમત બતાવી તેને પકડવાનો પ્રયાસ કર્યો હતો. એ પછી ફેરિયાએ શરણાગતિ સ્વીકારી. થોડા દિવસો પૂર્વે માનપાડામાં પાલિકાના એક કર્મચારીના કાન પર ફેરિયાએ પથ્થરમારો કર્યો હતો.

કૉન્ગ્રેસની એક સાંધે ત્યાં તેર તૂટે જેવી હાલત, હવે ગુજરાતમાં આ નેતા સામે વિરોધ જાગ્યો; જાણો વિગત

આવી ઘટનાઓ અહીં અવારનવાર બનતી રહે છે. એથી ફરી એક વાર ફેરિયાઓનો મુદ્દો ગરમાયો છે.

થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં ભાજપના જૂથ નેતા મનોહર ડુમ્બ્રેએ કહ્યું છે કે તેમને ઘોડબંદર વિસ્તારમાં એક ફેરિયા દ્વારા છરી વડે હુમલાના પ્રયાસની જાણ થઈ છે. આવી ઘટનાઓને રોકવા માટે નીતિ ઘડવાની જરૂર છે. પોલીસ સ્ટેશનમાં ફેરિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાનો આદેશ આ ટીમને આપવામાં આવ્યો છે.

 

Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Exit mobile version