Site icon News Continuous Bureau | Mumbai

આ રાજ્યના ખેડૂતોને કૃષિ આંદોલનમાં ભાગ લેવા બદલ ફટકારાઇ અધધધ આટલા લાખ રૂપિયાની નોટિસ… જાણો વિગતે

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
18 ડિસેમ્બર 2020
ઉત્તર પ્રદેશ (યુપી)ના સંભલ જિલ્લામાં કૃષિ આંદોલનમાં ભાગ લેનારા ખેડૂતોને નોટિસ મોકલવામાં આવી  છે. આ નોટિસ સંભલના ઉપજિલ્લા મેજીસ્ટ્રેટએ છ ખેડૂતોને 50,000 સુધીનો બોન્ડ ભરવા માટે આપી છે. જે છ ખેડૂતોને નોટિસ આપવામાં આવી છે. તેમાં ભારતીય કિસાન યુનિયન અસલીના જિલ્લાધ્યક્ષ રાજપાલ સિંહ, જયવીર સિંહ, સત્યેન્દ્ર, વીર સિંહ અને રોહદાસ સામેલ છે. ઉલ્લેખનીય છે કે પહેલા આ ખેડૂતોને 50 લાખની નોટિસ મોકલાઈ હતી, પણ હવે આ નોટિસને સંશોધિત કરી દેવાઈ છે. 


 
નોટિસમાં લખ્યું છે કે ખેડૂત આંદોલનમાં સક્રિયપણે ભાગ લઈ રહ્યા છે, જેનાથી કાયદા વ્યવસ્થામાં વિક્ષેપ પડે તેવી સંભાવના છે. આ માટે 50 લાખ રૂપિયાની ભરપાઈની 2 જમાનત ભરવાની નોટિસ જાહેર કરાઈ છે. જયારે કે ખેડૂતોનું કહેવું છે કે સરકાર આંદોલનનું દમન કરવા ઈચ્છે છે. તેઓએ આ રકમ ભરવાની મનાઈ કરી છે. આપને જણાવી દઈએ કે આ નોટિસ 12 અને 13 ડિસેમ્બરે કલમ 111 હેઠળ મોકલવામાં આવી છે.
 
તો બીજી તરફ ખેડૂતોને સમજાવવા માટે કૃષિ પ્રધાને 8 પાનાનો પત્ર લખ્યો છે. આ પત્ર એક બેઠક બાદ જાહેર કરાયો હતો. આ બેઠકમાં અમિત શાહ, પિયૂષ ગોયલ, નિર્મલા સીતારમણ અને ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા પણ ઉપસ્થિત રહ્યા હતા. નરેન્દ્રસિંહ તોમરે પત્રમાં લખ્યું છે કે, અનેક ખેડૂત સંગઠનોએ આ કાયદાનું સ્વાગત કર્યું છે. તોમરે ભાવુક અપીલ કરતા કહ્યું કે, હું પણ ખેડૂત પરિવારથી જ છું અને ખેતીની બારિકીઓથી વાકેફ છુ. તોમરે કહ્યું કે, આ મારી જવાબદારી છે કે ખેડૂતોને જણાવવામાં આવે કે તેમને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.

Join Our WhatsApp Channel
Brutal Murder Investigation નવી મુંબઈમાં લોહિયાળ રાત સીબીડી બેલાપુરમાં યુવકની ધારદાર શસ્ત્રથી કરપીણ હત્યા, વિસ્તારમાં ફફડાટ!
SIR Campaign શું છે મતદાર યાદી માટેની ‘SIR’ ઝુંબેશ? જાણો શું છે આ પ્રક્રિયા અને શા માટે છે મહત્વની
Railway Update પ્રવાસીઓ સાવધાન! 24 જુલાઈ સુધી લોનાવાલાકરજત ઘાટમાં કામગીરીને લીધે ટ્રેન વ્યવહાર પ્રભાવિત, જાણો કઈ ટ્રેનો રદ થઈ?
Fake DCP Exposed 10 વર્ષ સુધી IPS બનીને ફરી રહ્યો હતો ઠગ! અમિતાભ બચ્ચન અને જેકી શ્રોફ સાથેના ફોટા બતાવી લાખોની છેતરપિંડી
Exit mobile version