ભારતે ચીનને બુદ્ધ આપ્યા છે, યુદ્ધ નથી આપ્યું:રામદાસ આઠવલે

by Dr. Mayur Parikh

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

17 જુન 2020

કેન્દ્રીય રાજ્ય પ્રધાન રામદાસ આઠવલેનું કહેવું છે કે ચીની વસ્તુ ની સાથે જ ભારતમાં ચાઇનીઝ ફૂડ પર પણ પ્રતિબંધ મૂકવો જોઈએ. ભારત એ ભગવાન બુધ્ધનો, વિશ્વને શાંતિનો સંદેશ આપનાર દેશ છે, આ બૌદ્ધ ધર્મ સમગ્ર એશિયા, ચીન અને સમગ્ર વિશ્વમાં ફેલાયેલો છે, તેથી ભારતે ચીનને બુધ્ધ આપ્યું છે, યુદ્ધ નથી આપ્યું. અમારે યુદ્ધ નથી જોઈતું, પરંતુ જો ચીન યુદ્ધના ચક્કરમાં પડશે, તો ભારત ચીનને કાયમનો પાઠ ભણાવવાની શક્તિ ધરાવે છે

રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ, કેન્દ્રીય સામાજિક ન્યાય રાજ્ય મંત્રી રામદાસ આઠવલે દ્વારા આ ચેતવણી, લદ્દાખના ગાલવાન ખાતે ચીની સૈનિકો સાથેની અથડામણમાં વીસ સૈનિકો માર્યા ગયા હતા જે માટે તેમને શ્રધ્ધાંજલી આપતી વેળા કહ્યું હતું.

વઘુમાં તેમણે કહ્યું કે ચીને 1962 માં ભારતને ધમકી આપી હતી. હવે આજે ભારતની સૈન્ય ખૂબ મજબૂત છે, અને તે ચીનને પાઠ ભણાવવાની શક્તિ ધરાવે છે. પરંતુ આપણે યુદ્ધમાં જવા માંગતા નથી. કારણકે ભારત શાંતિ અને અહિંસાના સિદ્ધાંતોમાં માને છે.

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/3fxoxI2 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More