Jharkhand: ઝારખંડમાં 10 વિધાનસભા મતવિસ્તારમાં 100 ટકાથી વધુ મુસ્લિમ મતદાન થયું હતુંઃ રિપોર્ટ… જાણો વિગતે..

Jharkhand: ભાજપે 2019ની લોકસભા ચૂંટણીની મતદાર યાદી (મુસ્લિમ) અને 2024ની મતદાર યાદીનો તુલનાત્મક અભ્યાસ કર્યો હતો. જેમાં છેલ્લાં પાંચ વર્ષમાં, ભાજપે ઝારખંડની 10 વિધાનસભા મતવિસ્તારોમાં મતદારોની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો જોયો છે.

by Hiral Meria
Jharkhand More than 100 percent Muslim voting in 10 assembly constituencies in Jharkhand Report.

 News Continuous Bureau | Mumbai

Jharkhand: ઝારખંડની 10 વિધાનસભા મતવિસ્તારમાં, છેલ્લા પાંચ વર્ષમાં ઘણા બૂથ પર મતદારોની સંખ્યામાં 100 ટકાથી વધુનો વધારો થયો છે. ભાજપે તેના એક રિપોર્ટમાં આ વાતનો ખુલાસો કર્યો છે. જ્યાં મતદારોની સંખ્યા વધી રહી છે આમાં મોટા ભાગના વિસ્તારો સાંતાલ પરગણાના છે અને આ વિસ્તારોમાં બાંગ્લાદેશી મુસ્લિમોની ઘૂસણખોરીનો મુદ્દો સતત સામે આવતો રહે છે. આ રિપોર્ટના આધારે ભાજપે ( BJP ) ઝારખંડ ચૂંટણી પંચ પાસે તપાસની માંગ પણ કરી હતી. ભાજપે રિપોર્ટમાં કહ્યું હતું કે, જો યોગ્ય તપાસ થશે તો વસ્તી પરિવર્તનનું મોટું ષડયંત્ર આમાં સામે આવશે. ભાજપનો આ અહેવાલ ત્રણ સભ્યોની સમિતિએ તૈયાર કર્યો છે, આ સમિતિના પ્રદેશ ઉપાધ્યક્ષ અવધેશ કુમાર છે.

ભાજપે 2019ની લોકસભા ચૂંટણીની મતદાર યાદી (મુસ્લિમ) અને 2024ની મતદાર ( Muslim Voters ) યાદીનો તુલનાત્મક અભ્યાસ કર્યો હતો. જેમાં છેલ્લાં પાંચ વર્ષમાં, ભાજપે ઝારખંડની 10 વિધાનસભા મતવિસ્તારો ( Assembly constituencies )  (ખાસ કરીને મુસ્લિમ વસ્તીવાળા બૂથ)માં મતદારોની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો જોયો છે.

Jharkhand: સામાન્ય રીતે પાંચ વર્ષમાં 15% થી 17% નો વધારો થયો હતો

ભાજપના અહેવાલમાં જાણવા મળ્યું છે કે મુસ્લિમ ( Jharkhand Muslim Voters ) પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં મતદારોની સંખ્યામાં આ અણધાર્યો વધારો 20% થી 123% સુધીનો વધ્યો છે. આ વધારો આ 10 વિધાનસભાના કુલ 1467 બૂથમાં છે. ભાજપે કહ્યું છે કે સામાન્ય રીતે પાંચ વર્ષમાં 15% થી 17% નો વધારો થયો હતો, તેથી આ વધારો અસામાન્ય છે. બીજેપીએ એમ પણ કહ્યું છે કે હિન્દુ વસ્તીવાળા બૂથ પર મતદારોની સંખ્યા માત્ર 8% થી 10% વધી છે. જેમાં ઘણા બૂથ પર હિંદુ મતદારો ( Hindu voters ) ઘટ્યા છે.

આ સમાચાર પણ વાંચો  : Monsoon Update: મુંબઈ સહિત રાજ્યભરમાં ભારે વરસાદ! ખેડૂતોમાં છવાણી ખુશી, પરંતુ જનજીવન ખોરવાણું.. જાણો વિગતે..

ભાજપના ( BJP Jharkhand  ) રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો આ બૂથની પણ તપાસ કરવામાં આવે તો વસ્તી બદલવાનું ષડયંત્ર બહાર આવશે. અહીં દાવો કરવામાં આવ્યો હતો કે વહીવટી અધિકારીઓએ મતદાર યાદીમાં વિદેશી ઘૂસણખોરોના નામ નોંધ્યા છે અને આ માટે ગેરકાયદેસર રીતે દસ્તાવેજો પણ તૈયાર કરવામાં આવ્યા હતા. ભાજપે આ અંગે માંગણી કરી છે કે આ મતદાર યાદીમાં નકલી જણાતા મતદારો સામે જનપ્રતિનિધિત્વ અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More