અત્તરના વેપારી પીયૂષ જૈનની અહીંથી થઇ ધરપકડ, દરોડામાં અત્યાર સુધીમાં અધધ આટલા કરોડની કેશ અને ઘરેણાં જપ્ત; જાણો વિગતે 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 27 ડિસેમ્બર 2021

સોમવાર. 

યુપીમાં કન્નૌજ ખાતે અત્તરના કારોબારી પિયુષ જૈનની જીએસટી ઈન્ટેલિજન્સે કાનપુર ખાતેથી ધરપકડ કરી લીધી છે. 

GST ઈન્ટેલિજન્સે ટેક્સ ચોરીના આરોપમાં સીજીએસટી એક્ટની કલમ 69 હેઠળ પીયૂષ જૈનની કન્નોજથી ધરપકડ કરી છે. 

આરોપીને આગળની કાર્યવાહી માટે કાનપુરથી અમદાવાદ લઈ જવામાં આવે તેવી શક્યતા છે. 

દરોડા દરમિયાન અત્યાર સુધીમાં તેના પાસેથી 257 કરોડની રોકડ અને ઘરેણાં જપ્ત કરવામાં આવ્યા છે. 

ઉલ્લેખનીય છે કે પિયુષ જૈન કન્નૌજનો મોટો વેપારીઓમાં ગણાય છે, તેને કન્નૌજનો ધનકુબેર પણ કહેવામાં આવે છે.

ઈ-કોમર્સ કંપનીઓની દાદાગીરી અને GSTને મુદ્દે સરકારના મૌનથી વેપારીઓ નારાજ, આપી દીધી આ ચીમકી, નવા વર્ષમાં સરકાર વિરોધમાં કરશે આ કામ

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More