Site icon News Continuous Bureau | Mumbai

અનામતને લઈને કેરળ હાઈકોર્ટે આપ્યો આ મહત્વનો ચુકાદો, જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

અનામત મેળવવાને પાત્ર વ્યક્તિ ધર્મ બદલે કે કે લગ્ન કરે તેનો અનામતનો હક ખતમ ના થઈ શકે એવો કેરળ હાઈકોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો છે. 

Join Our WhatsApp Community

ધર્માતરણ કરવાથી કે અનામતનો લાભ મળતો ન હોય તેવી વ્યક્તિ સાથે લગ્ન કરવાથી અનામતનો લાભ મળતો બંધ ના થઈ શકે. એટલું જ નહીં પણ અનામતનો લાભ ધરાવતી વ્યક્તિને અનામતના લાભ નહીં ધરાવતી વ્યક્તિ દત્તક લે તો પણ જે-તે વ્યક્તિ અનામતનો લાભ મેળવવા માટે હકદાર હોવાનો ચુકાદો હાઈકોર્ટે આપ્યો છે.

આ સમાચાર પણ વાંચો : લો બોલો, ગોરખનાથ મંદિરનો હુમલાખોર આરોપી ઘરની છત પર જ કરતો હતો નિશાનેબાજીની પ્રેક્ટિસ; જાણો વિગતે

કેરળમાં એક યુવતીએ ખ્રિસ્તી યુવક સાથે લગ્ન કરતા તેને સ્થાનિક ગામ ઉડુંબંચોલાના તલાટીએ જાતિનું પ્રમાણપત્ર આપવાનો ઈનકાર કર્યો હતો. તેથી તેણે તેના વકીલ મારફત તલાટીના જાતિ પ્રમાણપત્ર આપવાનો ઈનકાર કરવાના નિર્ણયને પડકાર્યો હતો. તેની અરજી પણ વિચારણા કર્યા પછી કેરળ હાઈકોર્ટે તેના વલણનો પુનરોચ્ચાર કર્યો હતો.

તલાટીના કહેવા મુજબ બેક્સી એ.એ. નામની યુવતી લેટિન કેથોલિક સાથે સંબંધિત છે. તેણે ખ્રિસ્તી સિરોમાબાર સીરિયન કેથોલિક સંપ્રદાય સંબંધિત વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે. તેથી તેને અનામતનો લાભ મેળવવા માટે જાતિનું પ્રમાણપત્ર આપી શકાય નહીં.

આ યુવતીએ લોકસેવા આયોગ મારફત પ્રાથમિક વિદ્યાલયની શિક્ષિકા તરીકે નોકરી મેળવી હતી. નિમણૂક પછી તેણે જાતિ પ્રમાણપત્ર માટે અરજી કરી હતી. 18 માર્ચે હાઈકોર્ટે આપેલા ચુકાદામાં બંને પક્ષની દલીલો સાંભળીને યુવતીને તાત્કાલિક જાતિ પ્રમાણપત્ર આપવાનો આદેશ આપ્યો હતો.
 

Maharashtra Politics: શિવસેનામાં ‘આદિત્ય’ યુગની તૈયારી! ઉદ્ધવ ઠાકરે સોંપી શકે છે મોટી જવાબદારી, રાજકીય સમીકરણો બદલાશે
Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Exit mobile version