195
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 ઑગસ્ટ, 2021
બુધવાર
હિમાચલ પ્રદેશના કિન્નોરમાં બુધવારના રોજ બપોરે મોટી દુર્ઘટના ઘટી છે. અહીંયાં ભૂસ્ખલન થવાના કારણે યાત્રીઓથી ભરેલી બસ કાટમાળમાં દટાઈ ગઈ છે. આ ઉપરાંત બે કાર પણ ભૂસ્ખલનની ઝપટમાં આવી ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે બસમાં 35-40 મુસાફરો છે. અકસ્માત બાદ રાહત-બચાવ દળ ઘટનાસ્થળે રવાના થઈ ગયાં છે. ઘટનાસ્થળેથી જે દૃશ્યો સામે આવી રહ્યાં છે એ હૃદયદ્રાવક છે. આ દુર્ઘટના કિન્નોર જિલ્લાના નિગુલસેરી નૅશનલ હાઈવે-5 પર ચીલ જંગલની પાસે બની છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના વિસ્તારોમાં લૅન્ડસ્લાઇડની ઘટનાઓનું પ્રમાણ વધ્યું છે. આ ઉપરાંત ત્યાં નદીઓમાં પૂર પણ આવ્યું છે.
You Might Be Interested In