Site icon

મોટા સમાચાર : મહારાષ્ટ્રમાં પૂર્ણ લોક ડાઉન લાગવાની શક્યતા વધી. ઉદ્ધવ ઠાકરેએ આ મોટી વાત કહી..

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો, 

મુંબઈ, 10 એપ્રિલ 2021.

Join Our WhatsApp Community

શનિવાર

 

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે દ્વારા બોલાવવામાં આવેલી સર્વદળીય બેઠક સમાપ્ત થઈ ચૂકી છે. આ બેઠકમાં તમામ દળના પ્રમુખ નેતાઓ સામેલ રહ્યા હતા. બેઠક દરમિયાન મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે આવનાર દિવસો આવ્યા છે અને તેથી કોરોના ની ચેન તોડવા માટે lockdown અનિવાર્ય છે. મુખ્ય સચિવ સીતારામ કુંટે એ જણાવ્યું કે જો તત્કાળ બે કે ત્રણ અઠવાડિયા નું lockdown નહીં લગાડવામાં આવે તો 15 એપ્રિલ પછી પરિસ્થિતિ હાથમાં નહીં રહે.

બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ કહ્યું હતું કે આ પ્રકારનું lockdown લોકોને પાલવે તેમ નથી. આ ઉપરાંત lockdown નો અમલ નહીં કરે. સાથે જ માગણી મૂકી હતી કે લોકોને lockdown ને બદલે કોઈ સવલત આપવામાં આવે. જો કે આ સંદર્ભે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કોઈ આશ્વાસન આપ્યું નથી.

સર્વ દળની બેઠક સમાપ્ત થઇ ગયા બાદ હવે કોરોના ટાસ્ક ફોર્સની બેઠકમાં આ મુદ્દે અંતિમ ફેંસલો લેવામાં આવશે. આ બેઠક આવતીકાલે એટલે કે રવિવારે થવાની છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જે રીતે વાત કરી તેનાથી એવું લાગી રહ્યું છે કે lockdown આવશે.

 

 

Flight Fare Hike:સામાન બાંધતા પહેલા ચેતજો! એરલાઈન્સ કંપનીઓ વધારશે ટિકિટના ભાવ; મધ્ય પૂર્વના તણાવ વચ્ચે વિમાની મુસાફરીમાં મોટો ભાવવધારો.
LPG Crisis Eases in India:યુદ્ધ વચ્ચે ભારતની મોટી જીત! ગેસ બુકિંગમાં ૩૫% નો ઘટાડો અને ઉત્પાદન આસમાને; જાણો કેવી રીતે સામાન્ય થઈ રહી છે સ્થિતિ.
Maharashtra Weather Alert:મહારાષ્ટ્ર પર ફરી આકાશી આફત! આગામી ૪૮ કલાક ભારે; ૫ જિલ્લામાં તોફાની પવન સાથે વરસાદની યલો એલર્ટ.
Sion Panvel Highway Expansion:પૂર્વ મુંબઈના મુસાફરો માટે ખુશખબર! શીવ-પનવેલ હાઈવે પર ફ્લાયઓવરના વિસ્તરણથી ટ્રાફિકની સમસ્યા હલ; જાણો શું છે સરકારનો પ્લાન
Exit mobile version