News Continuous Bureau | Mumbai
Love Jihad: ભાજપે કર્ણાટકના હુબલીમાં કોંગ્રેસના કાઉન્સિલર નિરંજન હિરેમથની ( Niranjan Hiremath ) પુત્રીની હત્યાના કેસને લવ જેહાદનો મામલો ગણાવ્યો હતો. જેમાં કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે આ ઘટના પાછળ લવ જેહાદનો એંગલ હોઈ શકે છે. તેમજ કોંગ્રેસના શાસનમાં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે કથળી ગઈ છે.
બીજી તરફ યુવતીના પિતાએ પણ આ ઘટનાને લવ જેહાદનો મામલો ગણાવ્યો હતો. તેણે દાવો કર્યો હતો કે આરોપીઓએ તેની પુત્રીને ફસાવવાની યોજના બનાવી હતી. તેઓ તેને ધમકીઓ આપતા હતા, પરંતુ અમારી છોકરીએ તેના પર ધ્યાન આપ્યું ન હતું.
કર્ણાટક કોંગ્રેસના કાઉન્સિલર ( Karnataka Congress Councillor ) નિરંજન હિરેમથ દાવો કર્યો છે કે તેમની પુત્રીની હત્યા લવ જેહાદના કારણે કરવામાં આવી છે. તાજેતરમાં, ફૈયાઝ તેની જ સાથે ભણતી વિદ્યાર્થીને કોલેજમાં ( College Student ) છરીના ઘા મારીને હત્યા કરી નાખી હતી. આ ઘટના બાદ યુવતીના પિતાએ જણાવ્યું હતું કે, આરોપીએ તેની પુત્રીને 7-8 વાર છરીના ઘા માર્યા હતા કારણ કે તેણે તેનો પ્રેમ પ્રસ્તાવ નકારી દીધો હતો.
મિડીયા અહેવાલ મુજબ, નિરંજન હિરેમથે પૂછ્યું, જો આ લવ જેહાદ નથી, તો શું છે? તેણે કહ્યું, આવી ઘટનાઓ પહેલાથી બનતી રહી છે. હું આવા વિવિધ કેસ જોતો આવ્યું છું અને આરોપીઓની ક્રૂરતા હવે વધી જ રહી છે. યુવાનો કેમ આમ દિશા ભટકી રહ્યા છે? પરિસ્થિતિ એવી આવી છે કે, હું હવે આ કહેતા અચકાતો નથી કારણ કે હું દીકરીને ગુમાવવાનું દુઃખ જાણું છું. મને હવે સમજાય છે કે વિવિધ કિસ્સાઓમાં માતાપિતાએ તેમના બાળકો ગુમાવી રહ્યા છે તેમની પરિસ્થિતિ શું રહી હશે. મને લાગે છે કે આ ‘લવ જેહાદ’ હવે ખૂબ ફેલાઈ રહ્યું છે.
#WATCH | Karnataka: On the murder of his daughter in her college premises, Congress Councillor of Hubballi-Dharwad Municipal Corporation, Niranjan Hiremath says, “He will be arrested under the sections of the law. He should not be left out anymore… I demand the Bar Association… pic.twitter.com/IxcvWEcoGg
— ANI (@ANI) April 19, 2024
આ સમાચાર પણ વાંચો : LSG vs CSK: IPL માં ધોની મેદાને આવે અને કાન ફાડી નાખે તેવો શોર થાય છે. નોઈસ લેવલ રેકોર્ડ થયું…
Love Jihad: યુવતીના પિતાએ કોંગ્રેસના પક્ષની વિરુદ્ધ વાત કરી હતી…
નિરંજન હિરેમથેની ટિપ્પણી એવા સમયે આવી છે. જ્યારે ભાજપ અને સત્તાધારી કોંગ્રેસ 23 વર્ષીય યુવતીની હત્યાને લઈને શબ્દ યુદ્ધમાં વ્યસ્ત છે. જ્યારે ભાજપે ( BJP ) આ કેસમાં લવ જેહાદ નો આક્ષેપ કર્યો હતો અને દાવો કર્યો હતો કે આ ઘટના રાજ્યમાં બગડતી કાયદો અને વ્યવસ્થાને પ્રતિબિંબિત કરે છે. ત્યારે કોંગ્રેસ ( Congress ) સરકારે આ ઘટનામાં કોઈ સાંપ્રદાયિક કોણ હોવાનો ઇનકાર કર્યો હતો. કર્ણાટક કોંગ્રેસના નેતા જી પરમેશ્વરાએ દાવો કર્યો હતો કે નેહા અને ફૈયાઝ તેમના સંબંધોમાં ખટાશ આવ્યા પહેલા રિલેશનશિપમાં હતા તેથી આ લવ જેહાદનો મામલો નથી.
પરંતુ યુવતીના પિતાએ કોંગ્રેસના પક્ષની વિરુદ્ધ વાત કરી હતી. તેમણે એવી પણ માંગણી કરી હતી કે આરોપી વતી કોઈ જામીન અરજી ન સ્વીકારવી જોઈએ અને તેને કોઈપણ રીતે મદદ કરવી જોઈએ નહીં. વધુમાં તેમણે આ ગુના માટે મૃત્યુદંડની માંગણી પણ કરી હતી.
હિરેમથે કહ્યું હતું કે, હું કોર્ટ, બાર એસોસિએશન અને પોલીસને લવ જેહાદના કેસમાં કડક કાર્યવાહી કરવા અને ગુનેગારોને સખત સજા કરવાની માંગ કરું છું. ચારમાંથી અત્યાર સુધીમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. મારી માંગ છે કે બાકીના લોકોની પણ વહેલી તકે ધરપકડ કરવામાં આવે. આ લવ જેહાદ નથી તો શું છે? લવ જેહાદ માટે તેઓ સારા પરિવારની છોકરીઓને નિશાન બનાવી રહ્યા છે. શક્ય તેટલી વહેલી તકે આવો આરોપીઓને પકડવા જોઈએ અથવા ફાંસી આપવી જોઈએ.
આ સમાચાર પણ વાંચો : Everest Masala: સિંગાપોરમાં એવરેસ્ટ મસાલામાં મળ્યું ખતરનાક કેમિકલ.. જાણો કંપનીએ શું કહ્યું?
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)