Maharashtra Bandh: MVAએ ‘મહારાષ્ટ્ર બંધ’નું એલાન આપ્યું, હાઈકોર્ટે મૂક્યો પ્રતિબંધ; શિંદે સરકારને આપ્યો આ આદેશ..

Maharashtra Bandh: MVAએ બદલાપુર કેસને લઈને મહારાષ્ટ્ર બંધનું એલાન આપ્યું હતું. એમવીએ દ્વારા 24મી ઓગસ્ટે મહારાષ્ટ્ર બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જો કે, એમવીએના આ મહારાષ્ટ્ર બંધ સામે બોમ્બે હાઈકોર્ટમાં બે અરજીઓ દાખલ કરવામાં આવી હતી. આ બંને અરજીઓ પર આજે શુક્રવારે સુનાવણી કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કોઈપણ રાજકીય પક્ષ દ્વારા બંધનું એલાન આપવા પર મૌખિક મનાઈ ફરમાવી હતી.

by kalpana Verat
Maharashtra Bandh Bombay High Court restrains any political party or person from calling for strike

News Continuous Bureau | Mumbai

 Maharashtra Bandh: થાણે જિલ્લામાં સ્થિત બદલાપુરની શાળામાં બાળકીઓની જાતીય સતામણી બાદ થયેલા હિંસક પ્રદર્શનો પર હવે રાજ્યમાં રાજકારણ થવા લાગ્યું છે. મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને ઠાકરે જૂથના વડા, ઉદ્ધવ ઠાકરેએ શનિવારે 24 ઓગસ્ટે મહારાષ્ટ્ર બંધનું આહ્વાન કર્યું છે. આ મામલો આજે બોમ્બે હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. મહારાષ્ટ્ર બંધ વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજી પર શુક્રવારે સુનાવણી થઈ હતી.

 Maharashtra Bandh: રાજકીય પક્ષને બંધ કરવાની મંજૂરી નથી

અરજી પર સુનાવણી કરતા બોમ્બે હાઈકોર્ટે કહ્યું કે કોઈપણ રાજકીય પક્ષને બંધ કરવાની મંજૂરી નથી. બોમ્બે હાઈકોર્ટે સરકારને નિર્દેશ આપ્યો છે કે જો કોઈ આવું કરવાનો પ્રયાસ કરે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. આ આદેશો એડવોકેટ જનરલ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને અમિત બોરકરની ડિવિઝન બેન્ચે આપ્યા હતા. કોર્ટનો આ આદેશ મહાવિકાસ આઘાડી અને ઉદ્ધવ ઠાકરે માટે ઝટકો છે. જો કે જો મહારાષ્ટ્ર બંધનું એલાન કરવામાં આવે તો રાજ્ય સરકાર અને વિપક્ષ વચ્ચે તણાવ વધવાની શક્યતા છે.

Maharashtra Bandh: અરજીમાં શું છે દાવો?

ડૉ.ગુણરત્ન સદવર્તન અને અન્યોએ મહારાષ્ટ્ર બંધના વિરોધમાં અરજી કરી હતી. એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મહાવિકાસ અઘાડી (MVA)એ બંધનું એલાન આપ્યું છે. બંધના કારણે શાળા, કોલેજો અને હોસ્પિટલો સહિત સામાન્ય જનતાને મુશ્કેલી પડશે.

આ સમાચાર પણ વાંચોઃ Maharashtra Bandh : આવતીકાલે મહારાષ્ટ્ર બંધનું આવાહ્ન; શું 24 ઓગસ્ટે શાળાઓ, કોલેજો અને બેંકો બંધ રહેશે? જાણો શું ખુલ્લું રહેશે અને શું બંધ રહેશે…

Maharashtra Bandh: કેસને દબાવવા નો પ્રયાસ કરવામાં આવ્યો

તમને જણાવી દઈએ કે, હાઈકોર્ટે ગુરુવારે (22 ઓગસ્ટ) બદલાપુર યૌન ઉત્પીડન કેસની પણ સંજ્ઞાન લીધી હતી. આ દરમિયાન હાઈકોર્ટે આકરી ટીપ્પણી કરતા કહ્યું કે જો શાળા જ સુરક્ષિત નથી તો પછી શિક્ષણના અધિકાર અને અન્ય બાબતોની વાત કરવાનો શું ફાયદો?

બદલાપુર કેસમાં વિપક્ષી દળોએ આરોપ લગાવ્યો હતો કે શાળા ભાજપના નેતાની છે, તેથી જાતીય સતામણીના કેસને દબાવવા નો પ્રયાસ કરવામાં આવ્યો. વિરોધ બાદ FIR નોંધવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે તાજેતરમાં બદલાપુર રેલવે સ્ટેશન પર મોટી ભીડે પ્રદર્શન કર્યું હતું. જેના કારણે 10 કલાક સુધી સેવાઓ ખોરવાઈ ગઈ હતી.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More