News Continuous Bureau | Mumbai
- આદિવાસી ધર્માંતરણના વિવાદ અંગે કૌશલ્ય વિકાસ મંત્રી મંગલપ્રભાત લોઢાએ વિધાનસભા ( Legislature ) માં રજૂ કર્યો અહેવાલ
મહારાષ્ટ્ર ( Maharashtra ) માં શૈક્ષણિક સંસ્થાઓમાં અને અન્ય ક્ષેત્રોમાં લઘુમતિ તથા અનુસુચિત જાતિ એમ બન્ને લાભ લેનારાઓનો મુદ્દો ફરી ચર્ચાના ચગડોળે ચડ્યો છે. આ મુદ્દે મંત્રી લોઢાએ રજૂ કરેલા અહેવાલ ( Report ) માં જણાવ્યું હતું કે ITI માં હાલમાં ૨૫૭ વિદ્યાર્થીઓ એવા છે જે આ બન્ને છૂટનો લાભ લઇ રહ્યા છે.
આ અગાઉ ગૄહનું એવું ધ્યાન દોરવામાં આવ્યું હતું કે મહારાષ્ટ્રમાં ITI સંસ્થાઓમાં લઘુમતી અને અનુસૂચિત જાતિ બંને છૂટછાટો અને આદિવાસી સમુદાયોમાંથી ધર્માંતરિત થયેલા વિદ્યાર્થીઓ અને લઘુમતી અને આદિવાસી બંને છૂટછાટોનો લાભ લેનારા વિદ્યાર્થીઓ છે. એ સમયે કેબિનેટ મંત્રી મંગલ પ્રભાત લોઢા ( Mangal Prabhat Lodha ) એ નાગપુર ખાતેના શિયાળુ સત્રમાં સંપૂર્ણ તપાસનો નિર્દેશ આપ્યો હતો.
ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં વર્ષ ૨૦૨૩ ની પ્રવેશ પ્રક્રિયામાં આદિવાસી તાલીમાર્થીઓ દ્વારા મળતી રાહતોના લાભમાં થતી ગેરરીતિઓનો અભ્યાસ કરવા માટે સમિતિની રચના કરવામાં આવી હતી. કેબિનેટ મંત્રી મંગલ પ્રભાત લોઢાએ આજે આ સમિતિનો અહેવાલ વિધાનસભા અને વિધાન પરિષદના બંને ગૃહમાં રજૂ કર્યો હતો.
આ સમાચાર પણ વાંચો : GST Collection: GST કલેક્શનથી સરકારી તિજોરી છલકાઈ, સરકારને ફેબ્રુઆરીમાં થઇ અધધ આટલા કરોડની આવક…
આ અહેવાલ તૈયાર કરતી વખતે, રચાયેલી સમિતિએ અનુસૂચિત જનજાતિ વર્ગમાંથી પ્રવેશ મેળવનારા ૧૩૮૫૮ વિદ્યાર્થીઓની માહિતીની તપાસ કરી અને આ વખતે કેટલીક મહત્વપૂર્ણ હકીકતો સામે આવી. આ ૧૩૮૫૮ વિદ્યાર્થીઓમાંથી ૨૫૭ વિદ્યાર્થીઓએ હિંદુ ધર્મ સિવાયના અન્ય ધર્મોની જાણ કરી છે. આ બાબત ગંભીર છે અને તેના માટે નીચેના પગલાં લેવામાં આવશે.
- ઉપરોક્ત તમામ ૨૫૭ વિદ્યાર્થીઓની વિગતો અને માહિતી મેળવવા માટે રચાયેલી સમિતિ સંબંધિત ઔદ્યોગિક વહીવટી સંસ્થાઓ, પ્રોજેક્ટ ઓફિસરો, સંકલિત આદિજાતિ વિકાસ પ્રોજેક્ટ્સ, ગ્રામ સભાઓ વગેરેની મુલાકાત લેશે અને અહેવાલ સુપરત કરશે.
- જો તેઓએ તેમનો ધર્મ બદલ્યો હોય તો શું તે વિદ્યાર્થીઓને ઉપલબ્ધ રાહતો માન્ય રહેશે? આ અંગે સમિતિએ વ્યાપક અભ્યાસ કરીને પગલાં સૂચવવા જોઈએ તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.