મુંબઇગરાઓ ચેતી જાવ: જો સુરક્ષાના ધોરણોનું પાલન નહીં કરશો તો ફરી લોકડાઉન લાગુ કરવામાં આવશે .. ઉદ્ધવ ઠાકરેની ચીમકી

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

12 ઓક્ટોબર 2020

કોવિડ -19 સામેના યુદ્ધમાં લોકોએ "સંપૂર્ણ દિલથી ભાગીદારી" નોંધાવવી પડશે એવો પુનરોચ્ચાર કરતા સીએમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે સરકારે વધુ લોકોને સમાવવા માટે રેલવેની ઉપનગરીય ટ્રેન સેવાઓની સંખ્યા વધારવાનું મન બનાવ્યું છે. ઠાકરેએ કહ્યું કે, મહારાષ્ટ્ર ધીરે ધીરે અને કાળજીપૂર્વક તમામ ક્ષેત્રો ખોલી રહ્યું છે, ત્યારે લોકોએ નક્કી કરવાનું છે કે રોગચાળાને નાથવા માટે સામાજિક અંતર અને આરોગ્યના નિયમોનું પાલન કરવું છે કે પછી ફરીથી લોકડાઉનનો સામનો કરવો છે. સીએમએ કહ્યું કે “આપણે બધા ટ્રેનોથી મુસાફરી કરવા માંગીએ છીએ. પણ મારે ભીડ નથી જોઈતી. મેડીકલ ગાઈડલાઈન નું પાલન કરો એવું ઈચ્છું છું."

ઠાકરેએ ઉમેર્યું હતું કે ડોકટરો અને સરકારના પ્રયત્નો છતાં, માસ્ક પહેરવામાં અને સામાજિક અંતરનાં ધારાધોરણોને અનુસરવામાં લોકો બેદરકાર હોવાનું જણાયું છે. યુ.એસ, યુરોપ અને ઇઝરાઇલના ઘણા રાજ્યોએ ફરીથી લોકડાઉન લાગુ કરવાની જાહેરાત કરી છે. કોવિડ કેસોની સંખ્યામાં ઘટાડો થતાં, બેદરકારીની ભાવના વધી છે. કેટલાક દેશોએ લોકડાઉન ઉલ્લંઘન માટે કડક કાયદા અથવા કડક દંડ લાદ્યો છે. આથી હવે, હું નાગરિકો પર છોડી દઉં છું કે મુંબઈકરો માટે માસ્ક પહેરવું સારું છે કે લોકડાઉન વધુ સારું છે '

સરકાર નાગરિકોના સ્વાસ્થ્યની ચિંતા કરે છે તે માટે જ જીમ અને પૂજાસ્થળ ફરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં વાર લાગી રહી છે. "જીમમાં, હાર્ટ પમ્પિંગ રેટ વધે છે અને જો કોઈ કોવિડ -19 પોઝિટિવ છે, તો ફેલાવો (શ્વાસ બહાર કાઢવાના માર્ગ દ્વારા) ઝડપી થશે. અમે સમૃદ્ધિ લાવવા માટે તમામ ક્ષેત્રોને ફરીથી ખોલવા માગીએ છીએ, પરંતુ જો કાળજી નહીં લેવાય તો વાયરસના ફેલાવા બદલ સરકાર કાંઈ નહીં કરી શકે."

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More