Site icon

બિલ્ડરોને મહાવિકાસ આઘાડી સરકારનો જોર કા ઝટકાઃ SRAના 520 પ્રોજેક્ટ રદ.. જાણો વિગતે.

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટી(SRA) ના નામ પર છેલ્લાં 15 વર્ષથી ગરીબ રહેવાસીઓના ઝૂંપડાં તોડીને  તેમને બેઘર કરનારા બિલ્ડરોને(Builders) મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડી(mahavikas aghadi) સરકારે જોરદાર ઝટકો આપ્યો છે. SRAના 520 પ્રોજેક્ટ સરકારે રદ કરી નાખ્યા હોવાનું જાણવા મળ્યું છે.

મીડિયામાં આવેલા અહેવાલ મુજબ રાજ્યના ગૃહ નિર્માણ પ્રધાન જીતેન્દ્ર આવ્હાદે (Housing Minister Jitendra Awhad) જાહેર કર્યું છે કે ઝૂંપડાં તોડીને ઘરનું ભાડું નહીં આપનારા તમામ ડેવલપરોના લેટર ઓફ ઈન્ટેટ (LOI) રદ કરી નવી એમનેસ્ટી સ્કીમ લાવવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો :  અખિલેશ યાદવનું નાક કપાયું. આ નેતાએ કહ્યું કે જે નેતા પોતે મુખ્યમંત્રી નથી બની શકતા તે મને શી રીતે પ્રધાનમંત્રી બનાવશે?

ગૃહ નિર્માણ પ્રધાનના કહેવા મુજબ નવી ક્રાંતિકારી સ્કીમ હેઠળ  SRA પ્રોજેક્ટ આપવા પહેલા સંબંધિત બિલ્ડરની ફાઈનાન્શિયલ કેપેસીટી તપાસમાં આવશે. તેની માટે એક કમિટીની સ્થાપના કરવામાં આવી છે. જે બિલ્ડર નો પૂરો રેકોર્ડ રાખશે અને પ્રોજેક્ટ આપવાન  ભલામણ કરશે.  

સરકારના આ નિર્ણયથી લગભગ 40,000 ઝૂંપડા ધારકોને રાહત થશે એવું માનવામાં આવે છે. અહીં ઉલ્લેખનીય થે મુંબઈમાં હાલ 35,000 કરોડના પ્રોજેક્ટ અટવાયેલા છે.

 

Republic Day 2026:દેશદ્રોહી પન્નુની વધુ એક નાપાક હરકત: લાલ કિલ્લા પર ધ્વજવંદન રોકવા કરી ઉશ્કેરણી; દિલ્હીમાં FIR દાખલ, એજન્સીઓ એલર્ટ.
Ladki Bahin Yojana Update: લાડકી બહેન યોજનામાં ટેકનિકલ ખામી? હવે ઘરે બેઠા થશે ઉકેલ; મંત્રી અદિતિ તટકરેએ લોન્ચ કરી ખાસ સુવિધા, જાણો વિગત.
Badlapur Crime: બદલાપુરમાં વધુ એક નરાધમની કરતૂત: 4 વર્ષની બાળકી સાથે સ્કૂલ વાન ચાલકે કરી હેવાનીયત; પોલીસે આરોપીની ધરપકડ કરી વાન જપ્ત કરી
Noida-Ahmedabad School Bomb Threat: નોઇડા અને અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી; ઇમેઇલ બાદ પોલીસનું સઘન સર્ચ ઓપરેશન શરૂ
Exit mobile version