News Continuous Bureau | Mumbai
Maharashtra MLC Polls : આજે મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની 11 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. આ મતદાન સાંજે 4 વાગ્યા સુધી ચાલુ રહેશે. આ 11 બેઠકો માટે 12 ઉમેદવારો મેદાનમાં છે. દરમિયાન, કોંગ્રેસના 37 ધારાસભ્યોએ એમએલસી ચૂંટણી પહેલા પાર્ટીની બેઠકમાં હાજરી આપી ન હતી. આનાથી મોટી રાજકીય રમત હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
આજે જ પરિણામ જાહેર થશે
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને શિવસેના યુબીટીના નેતા ઉદ્ધવ ઠાકરેએ પોતાનો મત આપ્યો છે. સાંજે 4 વાગ્યા સુધી મતદાન ચાલુ રહેશે અને આજે જ પરિણામ જાહેર થશે.
આ સમાચાર પણ વાંચો : EVM વિશે જુઠ્ઠાણું ફેલાવવા બદલ રાહુલ ગાંધી, ઉદ્ધવ ઠાકરે, ધ્રુવ રાઠી વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટમાં અરજી… જાણો વિગતે..
મહારાષ્ટ્રના 11 ધારાસભ્ય નો કાર્યકાળ પૂરો
નોંધનીય છે કે 27 જુલાઈના રોજ મહારાષ્ટ્રના 11 એમએલસી તેમનો કાર્યકાળ પૂરો કરશે. 288 સભ્યોની વિધાન પરિષદમાં હાલમાં 274 સભ્યો છે. ભાજપના 103 ધારાસભ્યો છે. આ સિવાય શિવસેના પાસે 38, એનસીપીના 42, કોંગ્રેસના 37, શિવસેના (યુબીટી)ના 15 અને એનસીપી (એસપી)ના 10 ધારાસભ્યો છે. બાકીની બેઠકો અન્ય પક્ષો અને અપક્ષો પાસે છે. જીતવા માટે તમામ સભ્યોને 23 પ્રથમ પસંદગીના મત મેળવાના રહેશે.