Site icon

તો શું આ રસ્તે મહારાષ્ટ્રમાં ભાજપ સત્તા સ્થાપિત કરશે-  એક નવી યોજના બહાર આવી

News Continuous Bureau | Mumbai 

હાલ મહારાષ્ટ્રની રાજનીતિ(Maharashtra politics)માં એક નવી ચર્ચાએ જોર પકડ્યું છે. જે મુજબ આવનાર બે કે ત્રણ દિવસમાં એકનાથ શિંદે(Eknath Shinde) મુંબઈ આવી શકે છે તેમ જ રાજ્યપાલને એક પત્ર દ્વારા લેખિતમાં જણાવી શકે છે કે તેઓ મોજુદા મહાગઠબંધન આઘાડી(MVA govt)થી પોતાનું સમર્થન પાછું લઈ રહ્યા છે. બીજી તરફ ભારતીય જનતા પાર્ટી(BJP) રાજ્યપાલને નિવેદન કરશે કે વિધાનસભાનું સત્ર બોલાવવામાં આવે જેમાં મોજુદા સરકાર પોતાનું સંખ્યાબળ પુરવાર કરે. આવા સમયે શિવસેના(Shivsena)ના ધારાસભ્ય ગેરહાજર રહેશે અને સરકાર(Govt) આપોઆપ પડી જશે.

Join Our WhatsApp Community

સરકાર પડી ગયા બાદ ભારતીય જનતા પાર્ટી સૌથી મોટો પક્ષ હોવાને કારણે સત્તા સ્થાપન માટે આમંત્રણ મેળવશે. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી પોતાનો સ્પીકર(Speaker) ચૂંટી કાઢશે. એકવાર ભારતીય જનતા પાર્ટી પાસે સ્પીકર પર આવી જાય ત્યાર પછી એકનાથ શિંદેના ગ્રુપ(Shinde Group)ને સ્પીકર કાયદેસરની માન્યતા આપી દેશે અને ત્યારબાદ તમામ ધારાસભ્યો મુંબઈ આવશે. 

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં ભાજપ હવે મેદાનમાં આવ્યું- આજે ગવર્નરને સોંપી શકે છે સમર્થિત ધારાસભ્યોની યાદી

આ માર્ગે ચાલ્યા પછી ભારતીય જનતા પાર્ટી પર કોઈ પણ પ્રકારનો આરોપ નહીં લાગે તેમજ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી સાથે સત્તા સ્થાપન બાદ ભાજપની ઈમેજ ખરડાઈ હતી તેવી પરિસ્થિતિ પેદા નહીં થાય. હવે જોવાનું એ રહે છે કે રવિવાર સુધી આ પ્રકારની કોઈ હિલચાલ થાય છે કે નહીં.

Amrit Bharat Express: રાજ્યની સૌપ્રથમ અમૃત્ત ભારત ટ્રેનનો સુરતથી પ્રારંભ
Operation Sindoor Garba: સૈન્યના શૌર્ય અને પરાક્રમના સન્માનમાં
Vidhi Parmar pilot: નારી શક્તિની ઉડાન: અમદાવાદની 23 વર્ષની વિધિ પરમારે ગુજરાત સરકારની યોજના દ્વારા પાઇલટ બનવાનું બાળપણનું સપનું પૂરું કર્યું
AhmedabadStation: આરપીએફ અમદાવાદની સતર્કતા અને ત્વરિત કાર્યવાહીથી મહિલા મુસાફરની જાન બચી અને એક શંકાસ્પદ વ્યક્તિ ઝડપાયો
Exit mobile version