Maharashtra politics : મહાયુતિમાં સત્તા વહેંચણીની ફોર્મ્યુલા નક્કી, ભાજપ રાખશે 22 મંત્રાલય, જાણો શું હશે શિંદે અને અજિત પવારના હિસ્સામાં..

Maharashtra politics : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં જોરદાર જીતના 11 દિવસ બાદ પણ મહાયુતિ ગઠબંધન સરકાર બનાવવાની પ્રક્રિયામાં અટવાયેલી છે. મહાગઠબંધનમાં ભાજપ, એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનો સમાવેશ થાય છે. આ ગઠબંધનને 288 સભ્યોની વિધાનસભામાં 230 બેઠકો મળી છે. જેમાં ભાજપને 132, શિવસેનાને 57 અને એનસીપીને 41 બેઠકો મળી હતી. અહી મુખ્યમંત્રી કોણ બનશે તેના પર સતત સસ્પેન્સ છે.

by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

Maharashtra politics : મહારાષ્ટ્રમાં સરકારની રચનાને લઈને મોટા સમાચાર છે. 5 ડિસેમ્બરે મુખ્યમંત્રી અને બે નાયબ મુખ્યમંત્રી શપથ લેશે. મીડિયા રિપોર્ટ મુજબ મહારાષ્ટ્ર સરકારમાં ભાજપ પાસે 21 થી 22 મંત્રાલયો હશે. જોકે ગૃહ મંત્રાલય ભાજપ પાસે જ રહેશે. બીજેપીને મહારાષ્ટ્ર સ્પીકર પદ મળી શકે છે. બાકીના વિભાગો વિશે પછીથી ચર્ચા કરવામાં આવશે. આ સાથે રાજ્યની નવી સરકારમાં એકનાથ શિંદેની શિવસેના પાસે 11 થી 12 મંત્રીઓ હશે જ્યારે અજિત પવારની NCP પાસે સરકારમાં 10 મંત્રી હશે. જોકે, એકનાથ શિંદેએ કેબિનેટમાં 16 મંત્રાલયોની માંગણી કરી છે. એવા પણ અહેવાલ છે કે એકનાથ શિંદે અને અજિત પવાર શપથ લેશે. આ શપથ ગ્રહણ સમારોહ 5 ડિસેમ્બરે મુંબઈના આઝાદ મેદાનમાં યોજાશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહેશે.

Maharashtra politics :  મહારાષ્ટ્ર વિધાનસભાનું શિયાળુ સત્ર 16 ડિસેમ્બરથી થશે

અહેવાલ છે કે મહારાષ્ટ્રમાં બીજેપી ગૃહ અને રેવન્યુ જેવી પોસ્ટ રહી શકે છે. આ સાથે જ વિધાન પરિષદના અધ્યક્ષ અને અધ્યક્ષ પદ પણ પાર્ટીના ખાતામાં જઈ શકે છે. એનસીપીને નાણાં મંત્રાયલ મળી શકે છે જ્યારે શિંદેની શિવસેનાને શહેરી વિકાસ મંત્રાલય મળી શકે છે. આ સિવાય અન્ય મંત્રાલયો પર પછીથી ચર્ચા કરવામાં આવશે. આ સાથે મહારાષ્ટ્ર વિધાનસભાનું શિયાળુ સત્ર 16 ડિસેમ્બરથી નાગપુરમાં શરૂ થશે.

આ પહેલા મહાયુતિના ત્રણ નેતાઓ દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને અજિત પવાર મુંબઈમાં બેઠક કરશે અને નવા મુખ્યમંત્રી અને મંત્રીમંડળની ફોર્મ્યુલા પર સહમત થશે. જો કે કાર્યવાહક સીએમ એકનાથ શિંદેની તબિયત હજુ પણ ખરાબ છે. જેના કારણે સભાઓ સતત સ્થગિત કરવામાં આવી રહી છે. શિંદે કેટલાક ટેસ્ટ કરાવવા માટે હોસ્પિટલમાં જઈ રહ્યા છે. તે તાવથી પીડાઈ રહ્યા છે. આ કારણે નબળાઈ અનુભવી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો :  Eknath Shinde Health : મહારાષ્ટ્રના નેવર એન્ડિંગ પોલિટિકલ ડ્રામા માં વધુ એક ટ્વિસ્ટ, એકનાથ શિંદેની તબિયત વધુ બગડી, મુંબઈની હોસ્પિટલમાં દાખલ..

Maharashtra politics : સીએમ પદ પર હજુ સસ્પેન્સ

મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવ્યાને લગભગ દોઢ અઠવાડિયું થઈ ગયું છે, પરંતુ મુખ્યમંત્રી પદ પર હજુ પણ સસ્પેન્સ યથાવત્ છે. માનવામાં આવે છે કે મહાયુતિની સૌથી મોટી પાર્ટી હોવાના કારણે ભાજપ પોતાનો મુખ્યમંત્રી ઈચ્છે છે. પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસનું નામ આગળ ચાલી રહ્યું છે. અજિત પવાર પણ ફડણવીસના નામ પર સહમત થયા છે. જોકે, શિવસેના એકનાથ શિંદેને ફરીથી સીએમ બનાવવા માંગે છે. શિવસેનાની દલીલ છે કે શિંદે સરકારની નીતિઓને કારણે જ મહાયુતિ ચૂંટણીમાં આવું પ્રદર્શન કરી શકી છે.

મહારાષ્ટ્રમાં ચૂંટણીમાં મહાયુતિને 232 બેઠકો મળી છે. ભાજપે 132 બેઠકો, શિવસેના (શિંદે જૂથ) 57 બેઠકો અને અજિત પવારની એનસીપીએ 41 બેઠકો જીતી છે. ગઠબંધનના બંને પક્ષોએ 1-1 બેઠક જીતી છે. બીજી તરફ વિપક્ષી ગઠબંધન મહા વિકાસ આઘાડી ખરાબ રીતે પાછળ રહી ગઈ છે. ઠાકરેની શિવસેના માત્ર 20 બેઠકો, શરદ પવારની એનસીપી 10 અને કોંગ્રેસ 16 બેઠકો જીતી શકી હતી.

 

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More