Maharashtra Politics : શું ઉદ્ધવ ઠાકરે ફરી ભાજપ સાથે જોડાશે? ભાજપ નેતાની પુત્રીના લગ્નમાં મોટા નેતા સાથે કરી મુલાકાત; ચર્ચાનું બજાર ગરમ…

Maharashtra Politics :મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધન સરકારની રચના બાદ, શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે જૂથના વડા ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને મળ્યા. ત્યારબાદ, ઉદ્ધવ ઠાકરે ફરી એકવાર ભાજપના નેતાને મળ્યા. આ મુલાકાત બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે.

by kalpana Verat
Maharashtra Politics shiv Sena Ubt Uddhav Thackeray And Bjp Chandrakant Patil Meet At Wedding

News Continuous Bureau | Mumbai

Maharashtra Politics : છેલ્લા કેટલાક દિવસોમાં ઠાકરે અને ભાજપ વચ્ચેની નિકટતા વધી હોય તેવું લાગે છે. શિયાળુ સત્ર દરમિયાન, ઉદ્ધવ ઠાકરે દેવેન્દ્ર ફડણવીસને તેમની ઓફિસમાં મળ્યા. આ પછી, રાજ્યમાં ફરી એકવાર ઉદ્ધવ ઠાકરે અને ભાજપ વચ્ચે ગઠબંધનની ચર્ચા થઈ. હવે, ભાજપના મંત્રી ચંદ્રકાંત પાટિલ, ઠાકરે જૂથના ધારાસભ્ય મિલિંદ નાર્વેકર અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે મુલાકાત થઇ હોવાની માહિતી  પ્રકાશમાં આવી છે. જેમાં તેઓ ભાજપ-ઠાકરે ગઠબંધન અંગે ચર્ચા કરતા જોવા મળે છે.

 Maharashtra Politics :ઉદ્ધવ ઠાકરે અને ચંદ્રકાંત પાટીલ મળ્યા

વાસ્તવમાં  મુંબઈની એક ફાઇવ સ્ટાર હોટેલમાં ભાજપના ધારાસભ્ય પરાગ અલ્વાણીની પુત્રીના લગ્ન સમારોહ યોજાયો હતો.  લગ્ન સમારોહમાં વરરાજા – કન્યાને આર્શીવાદ આપવા ઉદ્ધવ ઠાકરે પહોંચ્યા હતા. ઉદ્ધવ ઠાકરેની સાથે વિધાન પરિષદના ધારાસભ્ય મિલિંદ નાર્વેકર અને ભૂતપૂર્વ સાંસદ વિનાયક રાઉત પણ હાજર હતા. તો બીજી તરફ પરાગ અલવાલીની પુત્રીના લગ્ન સમારોહમાં ભાજપના ચંદ્રકાંત પાટિલ પણ હાજર રહ્યા હતા. આ સમયે, ઉદ્ધવ ઠાકરે અને ચંદ્રકાંત પાટીલ મળ્યા. બંનેએ રાજકારણ પર પણ ચર્ચા કરી હોવાનું જાણવા મળે છે. મિલિંદ નાર્વેકર અને ચંદ્રકાંત પાટીલ સાથે પણ ચર્ચા થઈ હોવાના અહેવાલ છે.

aharashtra Politics : આ મુલાકાત ઘણી રીતે મહત્વપૂર્ણ 

આ મુલાકાત ઘણી રીતે મહત્વપૂર્ણ છે, કારણ કે જ્યારે ચંદ્રકાંત પાટિલ ભાજપના પ્રદેશ પ્રમુખ હતા, ત્યારે તેમણે ઉદ્ધવ ઠાકરે અને તેમની પાર્ટી શિવસેનાની આકરી ટીકા કરી હતી. બંને વચ્ચેની આ પ્રકારની વાતચીતને કારણે રાજકીય જગતમાં વિવિધ અટકળો શરૂ થઈ ગઈ છે. વાતચીત દરમિયાન, ઉદ્ધવ ઠાકરેના સચિવ મિલિંદ નાર્વેકરે ચંદ્રકાંત પાટીલને પૂછ્યું, ‘ગઠબંધન ક્યારે થશે?’ આના પર ચંદ્રકાંત પાટીલે સ્મિત સાથે જવાબ આપ્યો, ‘હું પણ આ સમયની રાહ જોઈ રહ્યો છું.’

આ સમાચાર પણ વાંચો :  મહારાષ્ટ્રના રાજકારણમાં નવા જૂનીનાં એંધાણ… અમિત શાહે શિંદેની ખુરશી નારાજ છગન ભુજબળને આપી; ચર્ચાનું બજાર ગરમ…

બંને નેતાઓ વચ્ચેની આ વાતચીતનો અવકાશ સામાન્ય મુલાકાત કરતાં ઘણો વધારે હતો. આવી બેઠકોથી રાજકીય વર્તુળોમાં ઘણી અટકળો વહેતી થઇ છે, ખાસ કરીને મહારાષ્ટ્રમાં સંભવિત રાજકીય ગઠબંધન ની ચર્ચા અંગે.

Maharashtra Politics : મહારાષ્ટ્રમાં રાજકીય સમીકરણો હંમેશા બદલાતા રહે છે 

નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં રાજકીય સમીકરણો હંમેશા બદલાતા રહે છે. ચંદ્રકાંત પાટિલ અને ઉદ્ધવ ઠાકરે વચ્ચેની આ પ્રકારની મુલાકાતથી ગઠબંધનની શક્યતા ફરી વધી ગઈ છે. આ બેઠક અંગે કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી, પરંતુ એ સ્પષ્ટ છે કે બંને નેતાઓ વચ્ચે ગઠબંધનની શક્યતાઓ છે. ભાજપ અને શિવસેના વચ્ચે રાજકીય સંબંધોનો ઇતિહાસ રહ્યો છે, પરંતુ હવે બંને વચ્ચેનો અંતર પણ ધીમે ધીમે ઓછું થતું  દેખાય છે, ખાસ કરીને ઉદ્ધવ ઠાકરેએ મહા વિકાસ આઘાડી (MVA) સરકારથી અલગ થઈને વિરોધનું વલણ અપનાવ્યું ત્યારથી. . .

Maharashtra Politics :અનેક અટકળો થઇ વહેતી

આ લગ્નમાં શિવસેના પ્રમુખનો પરિવાર અને ભાજપના નેતાઓ એકસાથે દેખાયા હતા, જે પોતે જ એક મહત્વપૂર્ણ રાજકીય સંકેત હોઈ શકે છે. જોકે, આ બેઠક પછી કોઈ નવા રાજકીય ગઠબંધન વિશે કોઈ સ્પષ્ટ સંકેત નથી, પરંતુ આ ઘટનાક્રમ દર્શાવે છે કે મહારાષ્ટ્રના રાજકારણમાં નવા સમીકરણો રચાઈ શકે છે. આવનારા દિવસોમાં આ બેઠકના રાજકીય પરિણામો પર બધાની નજર રહેશે.

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More