Site icon News Continuous Bureau | Mumbai

Maulana Tauqeer Raza: પ્રશાસન મુસ્લિમ યુવતીઓનું ધર્માંતરણ અટકાવે, તો જ સામૂહિક નિકાહ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવશેઃ મૌલાના તૌકીર રઝા.. જાણો વિગતે..

Maulana Tauqeer Raza: જેમણે મુસ્લિમ છોકરીઓનું ધર્માંતરણ કરીને તેમના લગ્ન કરાવ્યા છે તેમની પણ તપાસ થવી જોઈએ અને કાર્યવાહી થવી જોઈએ. જ્યાં સુધી અમને આ ખાતરી ન મળે ત્યાં સુધી અમે અમારો કાર્યક્રમ મુલતવી રાખશું નહીં. જો કે, તેમણે એમ પણ કહ્યું છે કે જો અમને પરવાનગી નહીં મળે તો અમે કાયદા વિરુદ્ધ કંઈ કરીશું નહીં.

Maulana Tauqeer Raza's big statement, said- If the administration stops the conversion of Muslim girls, then mass Nikah program will be suspended...

Maulana Tauqeer Raza's big statement, said- If the administration stops the conversion of Muslim girls, then mass Nikah program will be suspended...

 News Continuous Bureau | Mumbai

Maulana Tauqeer Raza: બરેલીમાં, ઇત્તેહાદ-એ-મિલ્લત કાઉન્સિલ ( IMC ) ના વડા મૌલાના તૌકીર રઝા ખાને ફરીથી ધર્મ પરિવર્તન ( religious Conversion  ) કરનારા યુવક-યુવતીઓના લગ્ન અંગે નિવેદન બહાર પાડ્યું છે. તેમણે કહ્યું છે કે 21 જુલાઈના રોજ પ્રસ્તાવિત કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો નથી. આશા છે કે વહીવટીતંત્ર અમને પરવાનગી આપશે.  

Join Our WhatsApp Channel

મૌલાનાએ માંગણી કરી છે કે જેમણે મુસ્લિમ છોકરીઓનું ( Muslim girls ) ધર્માંતરણ કરીને તેમના લગ્ન કરાવ્યા છે તેમની પણ તપાસ થવી જોઈએ અને કાર્યવાહી થવી જોઈએ. જ્યાં સુધી અમને આ ખાતરી ન મળે ત્યાં સુધી અમે અમારો કાર્યક્રમ મુલતવી રાખશું નહીં. જો કે, તેમણે એમ પણ કહ્યું છે કે જો અમને પરવાનગી નહીં મળે તો અમે કાયદા વિરુદ્ધ કંઈ કરીશું નહીં. 

Maulana Tauqeer Raza: કાર્યક્રમ મોકૂફ રાખવાનો પત્ર અમારી ભલામણ વિના જારી કરવામાં આવ્યો છે….

મૌલાના તૌકીર રઝાએ કહ્યું કે કાર્યક્રમ મોકૂફ રાખવાનો પત્ર અમારી ભલામણ વિના જારી કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે પ્રશાસને અમારી માંગણીઓ પર કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. જે બાદ અધિકારીઓએ કાર્યક્રમ મુલતવી રાખવાનો પત્ર પાઠવ્યો હતો. પરંતુ વહીવટી તંત્રએ તેમની માંગણીઓ પર કોઈ કાર્યવાહી કરી નથી.

મૌલાનાએ કહ્યું હતું કે મુસ્લિમ યુવતીઓનું ધર્માંતરણ કરીને તેમના લગ્ન કરાવનારાઓ સામે તપાસ કરવા અને કાર્યવાહી કરવા માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. જો કે, આવી સ્થિતિમાં, અમે અમારા ત્રણ અધિકારીઓને કારણ બતાવો નોટિસ પાઠવી છે અને તેમને સાત દિવસ માટે સસ્પેન્ડ કર્યા છે. 

આ સમાચાર પણ વાંચો  : Karnataka Private Jobs reservation Bill: કર્ણાટક સરકાર બેકફૂટ પર, ખાનગી ક્ષેત્રમાં કન્નડ ભાષીઓને અનામત આપવાના બિલ પર હાલ કામચલાઉ પ્રતિબંધ મૂકાયો.. જાણો વિગતે.

Maulana Tauqeer Raza: શું દેશમાં બે પ્રકારના કાયદા લાગુ છે….

મૌલાનાએ કહ્યું કે પ્રશાસને જણાવવું જોઈએ કે જેઓ ખુલ્લેઆમ મુસ્લિમ યુવતીઓનું ધર્માંતરણ કરી રહ્યા છે તેમને આ અધિકાર કોણે આપ્યો છે. અમારા સમાજને બદનામ કરવા અને અપમાનિત કરવા માટે યુવતીઓને ગૌમૂત્ર પીવડાવવામાં આવે છે તેવો વીડિયો જાહેર કરવામાં આવી રહ્યો છે. આવા લોકો સામે કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી? જ્યારે અમે પરવાનગી માંગી ત્યારે ખૂબ હંગામો મચી ગયો હતો. 

મૌલાનાએ પૂછ્યું કે શું દેશમાં બે પ્રકારના કાયદા લાગુ છે. તેમના માટે અલગ અને મુસ્લિમો માટે અલગ. આ અન્યાય સહન કરી શકાય નહીં. વહીવટીતંત્રે આવા લોકો પર પ્રતિબંધ મૂકવાની કાર્યવાહી કરવી જોઈએ અને ભૂતકાળમાં થયેલા ધર્મ પરિવર્તનની તપાસ કરવી જોઈએ. જ્યાં સુધી અમને ખાતરી ન મળે ત્યાં સુધી અમે અમારો કાર્યક્રમ મુલતવી રાખી શકીએ નહીં. જો પરવાનગી નહીં મળે તો અમે કાયદાની વિરુદ્ધ કંઈ કરીશું નહીં.

Ketan Agarwal Murder Case Siya Goyal દીકરી સામે પિતાનો જ ન્યાય! કેતનના કથિત મર્ડર કેસ પર સિયા ગોયલના પિતાનું મોટું નિવેદન આવ્યું સામે
Maharashtra Rain Alert 24 Districts મેઘરાજાની તોફાની બેટિંગ! મહારાષ્ટ્રના ૨૪ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, જળબંબોળ સ્થિતિ વચ્ચે ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ
Khan Sir Bail પટના કોચિંગ વિવાદમાં ખાન સરને મોટી રાહત, ધરપકડ પર રોક યથાવત
Ujjain Badnagar Moharram Incident ઉજ્જૈન બડનગરમાં મોહરમ દરમિયાન જોખમી પ્રદર્શન, ચાર લોકો સામે FIR
Exit mobile version