Site icon

Mauris Bhai: શિવસેના યુબીટી નેતા અભિષેક ઘોસાલકર પર ગોળીબાર કરી, આત્મહત્યા કરી લેનાર કોણ હતો મોરિસ નોરોન્હા..

Mauris Bhai: ગુરુવારે મુંબઈમાં એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી હતી. અહીં ફેસબુક લાઈવ દરમિયાન ઘણી ગોળીઓ ચલાવવામાં આવી હતી. જેમાં અભિષેક ઘોસાલકર અને મોરિસ બંનેનું મોત થયું છે.

Mauris Bhai Shiv Sena UBT leader Abhishek Ghosalkar shot, who committed suicide Maurice Noronha..

Mauris Bhai Shiv Sena UBT leader Abhishek Ghosalkar shot, who committed suicide Maurice Noronha..

News Continuous Bureau | Mumbai 

Mauris Bhai: શિવસેના ( UBT ) નેતા અભિષેક ઘોસાલકરની ( Abhishek Ghosalkar ) હત્યાએ મુંબઈની સાથે સાથે સોશિયલ મીડિયા વપરાશકર્તાઓને પણ સ્તબ્ધ કરી દીધા છે. ગુરુવારે (8 ફેબ્રુઆરી) અભિષેકની નિર્દયતાથી ગોળી મારીને હત્યા ( Shot Dead ) કરવામાં આવી હતી. હત્યાનો આખો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ખરેખર, આરોપી મોરિસ ભાઈ ઉર્ફે મોરિસ નોરોન્હાએ ( Mauris Noronha  ) અભિષેક સાથે ફેસબુક લાઈવ ( Facebook Live ) કર્યું હતું, બંને વચ્ચેની વાતચીત પૂરી થતાં જ સેકન્ડોમાં જ મોરિસે અભિષેક પર ગોળીઓનો વરસાદ શરૂ કરી દીધો હતો. આ હુમલામાં અભિષેક ઘોસાલકર ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. 

Join Our WhatsApp Community

ઉલ્લેખનીય છે કે, મોરિસ ભાઈ પોતાને સામાજિક કાર્યકર ( social worker ) કહેતો હતો. બોરીવલીમાં આઈસી કોલોની વિસ્તારમાં મોરિસ સ્થાનિક સામાજિક કાર્યકર તરીકે જાણીતી હતો. પોલીસના જણાવ્યા અનુસાર અભિષેક અને મોરિસ વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદનો અંત લાવવા માટે બંનેએ ફેસબુક લાઈવ કર્યું હતું. ઘણા નેતાઓ સાથેના તેમના ફોટા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

આ ઘટનાનો જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે….

આ ઘટનાનો જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે IC કોલોની સ્થિત હુમલાખોર મોરિસની ઓફિસનો છે. વીડિયોમાં અભિષેક ઘોસાલકરને પેટ અને ખભામાં ગોળી મારવામાં આવી રહી છે. શિવસેના ( Shivsena UBT ) સાંસદ સંજય રાઉતે પણ એક તસવીર શેર કરી છે, જેમાં તેઓ સીએમ એકનાથ શિંદે ( Eknath Shinde )  સાથે જોવા મળી રહ્યા છે . આ તસવીર શેર કરતા સંજય રાઉતે મહારાષ્ટ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું કે શિંદે સરકાર ગુંડાઓની સરકાર ચલાવી રહી છે.

આ સમાચાર પણ વાંચો : Harda Blast: મધ્યપ્રદેશના હરદામાં ફટાકડાની ફેક્ટરીમાં ધડાકા પર ધડાકા.. પરમાણુ વિસ્ફોટ જેવો ધુમાડો, ધરતીકંપ જેવો આંચકો, હવામાં ઉડયા પથ્થરો; જુઓ વિડીયો

દરમિયાન આદિત્ય ઠાકરેએ એક પોસ્ટ શેર કરતા લખ્યું હતું કે “અમે ઘોસાલકર પરિવારના દુઃખમાં સહભાગી છીએ. ભગવાન તેમને આ ભયંકર દર્દને સહન કરવાની શક્તિ આપે.”

અન્ય એક પોસ્ટમાં આદિત્ય ઠાકરેએ કહ્યું હતું કે, મહારાષ્ટ્રમાં આ પ્રકારની અરાજકતા પહેલા ક્યારેય જોવા મળી નથી. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ આજની જેમ નિષ્ફળ જતી જોવી તે શબ્દોની બહાર આઘાતજનક છે. શું સામાન્ય માણસની સુરક્ષા માટે કોઈ વ્યવસ્થા છે? શું કાયદાનો ડર છે? વહીવટ સંપૂર્ણપણે ગાયબ થઈ ગયો છે.

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version