Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડી સરકાર પર વાદળ છવાયાં.. બોલો !! ચૂંટણી આવતાં જ શિવસેનાને સંભાજીની યાદ આવી.. 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Community

05 જાન્યુઆરી 2021 

કોલ્હાપુર અને ઔરંગાબાદ મનપા ચૂંટણીમાં મહારાષ્ટ્ર સરકારના ત્રણેય પક્ષો એકબીજા સામે ઉગ્ર નિવેદનો આપી રહ્યા છે. કોલ્હાપુરમાં મહાવીકાસ આઘાડીના નેતાઓ એક બીજાની સામે નિવેદનો આપી રહ્યા છે. 

શિવસેનાએ ઔરંગાબાદ જિલ્લાનું નામ સંભાજીનગર રાખવાની માંગ કરી છે, પરંતુ કોંગ્રેસે આ પ્રસ્તાવને ખુલ્લેઆમ ફગાવી દીધો છે અને એનસીપી વિરોધ કરી રહ્યું છે. બીજી તરફ સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીની ઘોષણા પૂર્વે જ સામ-સામે આવી ગયા છે. કોલ્હાપુર અને ઔરંગાબાદ આ વિવાદનો મુદ્દો બન્યો છે. 

 

આવી સ્થિતિમાં શિવસેનાએ ફરી એકવાર નામ બદલવાની દરખાસ્ત કરી છે, જેને જિલ્લા કલેક્ટર દ્વારા રાજ્ય સરકારને મોકલવામાં આવી છે. માનવામાં આવી રહ્યું છે કે મહાકવિસ આગડી સરકારની આગામી પરીક્ષા સ્થાનિક બોડી અને ઔરંગાબાદના નામ બદલવાના મુદ્દાઓ પર હશે. 

 

કોમન મિનિમમ પ્રોગ્રામ અંતર્ગત ત્રણેય પક્ષો દ્વારા એક સાથે મહાવિકાસ આઘાડીની સ્થાપના કરવામાં આવી હતી. તેમાં શહેરોનાં નામ બદલવાનો કોઈ એજન્ડા જ નહોતો. આને લઈ એનસીપી, શિવસેના અને કોંગ્રેસે ઘણાં નિવેદનો આપ્યાં હતાં કે તેઓ આ ચૂંટણી મળીને લડશે.  

 

હવે તે મામલો નિરાશ થતો જણાય છે. કોલ્હાપુર અને  ઔરંગાબાદ મનપા ચૂંટણીમાં ત્રણેય પક્ષો એકબીજા સામે ઉગ્ર નિવેદનો આપી રહ્યા છે. કોલ્હાપુરમાં મહાવિકાસ આઘાડી ટીમમાં સમાવિષ્ટ મંત્રીઓના નિવેદનો એક બીજાની સામે આવી રહ્યા છે. આના પરથી કહી શકાય કે ત્રણે પક્ષઓ ત્રણ દિશામાં જઈ રહયાં છે અને આનો ઉકેલ આવવો મુશ્કેલ છે.

 

Marriage Fraud Racket: લગ્નના નામે છેતરપિંડી બાપદીકરીની જોડીનો પોલીસે કર્યો પર્દાફાશ, 5 પરિવારોને લગાવ્યો લાખોનો ચૂનો
TCS Nashik Case:નિદા ખાન ઉર્ફે ‘દબંગ મેમ’ની ક્રૂરતાનો અંત TCS માં ધર્માંતરણ અને બુરખો પહેરવાની ફરજ પાડતા હોવાનો ભાંડો ફૂટ્યો
Maharashtra Heatwave Alert મહારાષ્ટ્ર પર મોટું સંકટ, અતિ મહત્વના કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળો, આ જિલ્લામાં શાળાઓમાં રજા જાહેર
Maharashtra Politics: શિવસેનામાં ‘આદિત્ય’ યુગની તૈયારી! ઉદ્ધવ ઠાકરે સોંપી શકે છે મોટી જવાબદારી, રાજકીય સમીકરણો બદલાશે
Exit mobile version