News Continuous Bureau | Mumbai
સેશન્સ કોર્ટે(Session Court) જામીન આપવા દરમિયાન રાખેલી શરતોનું ઉલ્લંઘન કર્યું નથી એવો દાવો ધારાસભ્ય રવિ રાણા(MLA ravi rana) અને તેમના પત્ની સાંસદ નવનીત રાણાએ(MP navneet rana) આજે કોર્ટની નોટિસનો જવાબ આપતા સમયે કર્યો છે.
જામીન પર બહાર નીકળ્યા બાદ રાણા દંપતીએ શરતોનું ઉલ્લંઘન કર્યું હતું અને સરકારી વકીલે જામીન(bail) રદ કરવાની માંગ કરી હતી. ત્યારબાદ સેશન્સ કોર્ટે એક નોટિસ જારી કરી હતી.
આ સમાચાર પણ વાંચો : જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ કેસમાં વારાણસીની કોર્ટમાં વધુ એક અરજી, કરવામાં આવી આ માંગ.. જાણો વિગતે
રાણા દંપતીના વકીલ રિઝવાન વેપારીએ આજે રાણા દંપતી વતી કોર્ટને જવાબ આપ્યો છે. રાણા દંપતીએ કોર્ટને જણાવ્યું હતું કે મીડિયા સાથે વાતચીત કરતી વખતે તેઓએ જેલમાં હતા ત્યારે 12 દિવસ જે ત્રાસ સહન કર્યો તે વાત કરી હતી. આ પ્રકરણમાં તેઓએ કોઈ પણ ભવિષ્યવાણી કરી નથી. તેથી કોર્ટની કોઈપણ શરતોનું ઉલ્લંઘન થયું નથી એવો દાવો પણ રાણા દંપતીએ કર્યો હતો.
રાણા દંપતીએ કોર્ટની સુનાવણીમાં ગેરહાજર રહેવા માટે અરજી કરી હતી. કોર્ટે રાણા દંપતી પાસેથી ગેરહાજર રહેવાની અરજીને મંજૂરી આપી હતી. આ મામલે આગામી સુનાવણી(Hearing) 15 જૂનના રોજ સુનિશ્ચિત થયેલ છે.
અમરાવતીના(Amaravati) સાંસદ નવનીત રાણા અને ધારાસભ્ય રવિ રાણા હાલમાં જામીન પર મુક્ત થયા છે. રાજ્યમાં કાયદા અને વ્યવસ્થાને(Law and order) બગાડવાના કારણો હેઠળ, મુંબઈ પોલીસે(Mumbai police) વિવિધ આઈપીસી વિભાગ હેઠળ રાણા દંપતી વિરુદ્ધ કેસ નોંધાવ્યો હતો. આમાં, રાજદ્રોહનો(Treason) ગુનો આઈપીસી કલમ 124 (એ) (IPC Section 124 )હેઠળ નોંધાયેલ હતો. 12 દિવસ પછી, બંનેને શરતી જામીન આપવામાં આવ્યા હતા.