Site icon

અધધધ.. મોરારીબાપુની કથામાં દાનની સરવાણી વહી.. રામમંદિર માટે 3 દિવસમાં સાડા પાંચ કરોડનું અનુદાન..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

30 જુલાઈ 2020

અયોધ્યા ખાતે નિર્માણ થનાર શ્રીરામ મંદિર માટે જાણીતા કથાકાર પૂ.મોરારીબાપુ દ્વારા પાંચ કરોડના અનુદાનની જાહેરાત કરવામાં આવી છે. પીઠોરીયા હનુમાન મંદિર ખાતે ચાલી રહેલી પૂ. બાપુની રામકથામાં તુલસી જયંતીના પાવન દિવસે પૂ. બાપુએ એક મહત્વની જાહેરાત કરી હતી. અયોધ્યામાં બની રહેલા ભવ્ય શ્રીરામ મંદિરનાં 5.61 કરોડ સુધીની રકમ માત્ર ત્રણ દિવસ માં જમા થઇ છે. આમાં અમેરિકા અને લંડનથી પણ ફાળો આવશે એટલે કહી શકાય કે આ રકમ, બાપુએ નિર્ધારિત કરેલી રકમ કરતા બહુ મોટી થવાની સંભાવના છે.

અહીં ખાસ નોંધવા જેવી વાત એ છે કે એક રૂપિયાથી લઈને એક કરોડ રૂપિયા સુધીની રકમ દાનમાં જમા થઈ છે. આ સંદર્ભે મોરારીબાપુએ કહ્યું હતું કે "આમ તો કેટલાક લોકો એ જ મળીને રૂપિયા પાંચ કરોડનું દાન આપી દીધું હોત. પરંતુ,  સામાન્ય માનવીને પણ રામ મંદિરમાં પોતે 'ફુલ નહિ તો ફુલની પાંખડી' આપ્યાનો સંતોષ થાય. આથી બધા પાસે દાનની રકમ ઉઘરાવવા માં આવી છે. બાપુએ રામમંદિર માટે દાન આપવાની કરેલી અપીલની જબરી અસર થઈ છે. ત્રણ દિવસમાં લગભગ 3 હજાર લોકોએ પોતાનો ફાળો નોંધાવ્યો છે અને હજુ આગામી 1 ઓગસ્ટ સુધી ફાળો લેવાનું કામ ચાલુ રહેનાર છે. નોંધનીય છે કે રામ મંદિરનું ભૂમિપૂજન આગામી તા.5 ઓગસ્ટના દિવસે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે થવા જઈ રહ્યું છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/30Ze56i 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com  

Kalyan-Dombivli Politics: નગરસેવકો ગાયબ કે હાઈજેક? કલ્યાણ-ડોમ્બિવલીમાં ઉદ્ધવ જૂથના ૪ નેતાઓ લાપતા થતા મચ્યો હડકંપ; કાર્યકરોએ નોંધાવી ફરિયાદ
Maharashtra Weather Update: મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદની આફત: મુંબઈ અને નવી મુંબઈમાં મેઘરાજાની એન્ટ્રી,જાણો હવામાન વિભાગની આગાહી
Republic Day 2026:દેશદ્રોહી પન્નુની વધુ એક નાપાક હરકત: લાલ કિલ્લા પર ધ્વજવંદન રોકવા કરી ઉશ્કેરણી; દિલ્હીમાં FIR દાખલ, એજન્સીઓ એલર્ટ.
Ladki Bahin Yojana Update: લાડકી બહેન યોજનામાં ટેકનિકલ ખામી? હવે ઘરે બેઠા થશે ઉકેલ; મંત્રી અદિતિ તટકરેએ લોન્ચ કરી ખાસ સુવિધા, જાણો વિગત.
Exit mobile version