Site icon

અધધધ.. મોરારીબાપુની કથામાં દાનની સરવાણી વહી.. રામમંદિર માટે 3 દિવસમાં સાડા પાંચ કરોડનું અનુદાન..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

30 જુલાઈ 2020

અયોધ્યા ખાતે નિર્માણ થનાર શ્રીરામ મંદિર માટે જાણીતા કથાકાર પૂ.મોરારીબાપુ દ્વારા પાંચ કરોડના અનુદાનની જાહેરાત કરવામાં આવી છે. પીઠોરીયા હનુમાન મંદિર ખાતે ચાલી રહેલી પૂ. બાપુની રામકથામાં તુલસી જયંતીના પાવન દિવસે પૂ. બાપુએ એક મહત્વની જાહેરાત કરી હતી. અયોધ્યામાં બની રહેલા ભવ્ય શ્રીરામ મંદિરનાં 5.61 કરોડ સુધીની રકમ માત્ર ત્રણ દિવસ માં જમા થઇ છે. આમાં અમેરિકા અને લંડનથી પણ ફાળો આવશે એટલે કહી શકાય કે આ રકમ, બાપુએ નિર્ધારિત કરેલી રકમ કરતા બહુ મોટી થવાની સંભાવના છે.

અહીં ખાસ નોંધવા જેવી વાત એ છે કે એક રૂપિયાથી લઈને એક કરોડ રૂપિયા સુધીની રકમ દાનમાં જમા થઈ છે. આ સંદર્ભે મોરારીબાપુએ કહ્યું હતું કે "આમ તો કેટલાક લોકો એ જ મળીને રૂપિયા પાંચ કરોડનું દાન આપી દીધું હોત. પરંતુ,  સામાન્ય માનવીને પણ રામ મંદિરમાં પોતે 'ફુલ નહિ તો ફુલની પાંખડી' આપ્યાનો સંતોષ થાય. આથી બધા પાસે દાનની રકમ ઉઘરાવવા માં આવી છે. બાપુએ રામમંદિર માટે દાન આપવાની કરેલી અપીલની જબરી અસર થઈ છે. ત્રણ દિવસમાં લગભગ 3 હજાર લોકોએ પોતાનો ફાળો નોંધાવ્યો છે અને હજુ આગામી 1 ઓગસ્ટ સુધી ફાળો લેવાનું કામ ચાલુ રહેનાર છે. નોંધનીય છે કે રામ મંદિરનું ભૂમિપૂજન આગામી તા.5 ઓગસ્ટના દિવસે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે થવા જઈ રહ્યું છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/30Ze56i 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com  

UshaUpadhyay: ‘ઝરૂખો’માં વરિષ્ઠ કવયિત્રી વાર્તાકાર ડૉ.ઉષા ઉપાધ્યાય સાથે એક સાંજ
Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
Exit mobile version