News Continuous Bureau | Mumbai
ગુજરાતના(Gujarat) મોરબી જિલ્લામાં(Morbi District), મચ્છુ નદી પરનો 143 વર્ષ જૂનો પુલ(old bridge) રવિવારે તૂટી પડતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 141 લોકોના મોત નિપજ્યા હોવાના અહેવાલ છે. આશંકા છે કે મૃત્યુ આંક(death toll) હજુ વધી શકે છે. તે જ સમયે, મીડિયા રિપોર્ટ મુજબ આ ઘટના અંગે કાર્યવાહી કરીને, વહીવટીતંત્રે(Administration) બે કોન્ટ્રાક્ટર સહિત ઓરેવા કંપનીના 9 લોકોની ધરપકડ કરી છે. ઓરેવાના કપંનીના મેનેજર, 2 ટિકિટ ક્લાર્ક, 3 સિક્યુરિટી ગાર્ડ અને 2 રિપેરિંગ કોન્ટ્રાક્ટરનો સમાવેશ થાય છે.
આ સમાચાર પણ વાંચો : દુઃખદ – મોરબી કરુણાંતિકામાં આ ભાજપ સાંસદના એક બે નહીં પણ પરિવારના 12 સભ્યોના નિપજ્યા મોત
મહત્વનું છે કે આ 9 આરોપીઓને પકડવા માટે ગુજરાત ATS, રાજ્ય ગુપ્તચર વિભાગ(State Intelligence Department) અને મોરબી પોલીસે(Morbi Police) અનેક જગ્યાએ દરોડા પાડ્યા હતા. દરોડા બાદ તેઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે આ તમામ આરોપીઓની કલમ 304, કલમ 114, કલમ 308 હેઠળ અટકાયત કરવામાં આવી હતી..