ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 4 ઑક્ટોબર, 2021
સોમવાર
મહારાષ્ટ્ર સરકારે પહેલાં નોરતાથી નવરાત્રીમાં મંદિરો ખોલી નાખ્યાં છે. આવા સમયે મંદિરમાં ધસારો થવાની શક્યતા રહેલી છે. બીજી તરફ સરકારે ગાઇડલાઇન બહાર પાડી છે કે કોઈ પણ મંદિરમાં ૫૦ ટકાથી વધુ ભીડ ન હોવી જોઈએ. આ પરિસ્થિતિમાં મુંબઈ શહેરની આરાધ્ય દેવી એટલે કે મુંબાદેવી મંદિરે દર્શન માટે ગાઇડલાઇન બહાર પાડી છે.
મંદિરે એક નિવેદનમાં જણાવ્યું છે કે ગિરનાર લિખિત વેબસાઇટ પર ક્લિક કર્યા પછી.
https://mumbadevi.org.in/
લોકોને એક એસએમએસ પ્રાપ્ત થશે. આ એસએમએસ સાથે તે વ્યક્તિએ પોતાનું આઇડેન્ટિટી કાર્ડ તેમજ વેક્સિન લીધાનું સર્ટિફિકેટ સાથે રાખવું પડશે. મંદિર પ્રશાસન દ્વારા એ વાતની ચકાસણી કરવામાં આવશે કે વેક્સિન લીધા પછી ૧૪ દિવસ પતી ગયા છે કે કેમ. આ ઉપરાંત નાનાં બાળકો ૬૫ વર્ષથી ઉપરની વ્યક્તિઓ તેમજ ગર્ભવતી મહિલાઓને ઘરે રહેવાની સલાહ આપવામાં આવી છે.
આ મંદિરની અંદર મર્યાદિત લોકો પરવાનગી સાથે હાજર રહી શકશે.
શું તમને ખબર છે નટુકાકા એટલે કે ઘનશ્યામ નાયક ના પરિવારમાં ૬ પેઢી કલાકારોની છે?