Site icon

હવે કોરોનાની સાથે જીવતા શીખવું પડશે.. મનપા ચલાવશે ‘મારુ કુટુંબ મારી જવાબદારી’ અભિયાન

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

12 સપ્ટેમ્બર 2020

મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે દ્વારા જાહેર કરાયેલું 'માય ફેમિલી, માય રિસ્પોન્સિબિલીટી' અભિયાન 15 સપ્ટેમ્બરથી મુંબઇમાં લાગુ કરવામાં આવશે. આમાં, દરેક મુંબઇકર, લોકોના પ્રતિનિધિઓ, એનજીઓની ભાગીદારી સાથે, કોવિડ 19 ના નિયંત્રણ માટે નવી જીવનશૈલી અપનાવવા પર ભાર આપવામાં આવશે. એવી માહિતી મુંબઈના મ્યુનિસિપલ કમિશનર ઇકબાલસિંહ ચહલે આપી હતી.

'મારુ કુટુંબ, મારી જવાબદારી!' અભિયાન હેઠળ પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા નિયુક્ત સ્વયંસેવકો પાલિકા વિસ્તારના દરેક ઘરે ઘરે જઈને લોકોના તાવ અને ઓક્સિજનના સ્તરની તપાસ કરશે. ઉપરાંત આરોગ્ય શિક્ષણ, 'કોવિડ 19' ના શંકાસ્પદ દર્દીઓની શોધ કરી સારવાર માટે રેફરલ સેવાઓની જોગવાઈ સહિતના સંદેશાઓ આપવામાં આવશે.

આ અભિયાનમાં ડાયાબિટીઝ, હ્રદયરોગ, કિડનીના રોગ, મેદસ્વીપણા અને સારવાર માટે રેફરલ સેવાઓ જેવા રોગોનો પણ સમાવેશ કરવામાં આવશે. આ સ્વયંસેવકો ઝુંબેશના કુલ સમયગાળા દરમિયાન દરેક પરિવારની લગભગ બે વાર મુલાકાત લેશે. સાથે જ કુટુંબ ને સમજાવશે કે પરિવારના સભ્યોએ દૈનિક જીવનમાં કેટલી સાવધાની રાખવી જરૂરી છે. આમાં સ્વ-સ્વચ્છતા, માસ્ક પહેરીને, ભીડને ટાળવી, પોતાના પરિવારના સભ્યોની સંભાળ લેવી, તમારી ઓફિસની જગ્યાએ સંભાળ લેવી, સેનિટાઈઝેશન જંતુમુકત થવું, સંબંધીઓની મુલાકાત લેવાનું ટાળવું, અને જો તમને કોરોનાનાં લક્ષણો દેખાય તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જેવી માહિતી અને જાગરૂકતા શામેલ છે…

Maharashtra Govt Jobs: ૭૦,૦૦૦ સરકારી જગ્યાઓ માટે ભરતીનો માર્ગ સાફ, શિક્ષણથી લઈને પોલીસ વિભાગ સુધીની ખાલી બેઠકોનું લિસ્ટ જાહેર
Maharashtra ZP Election Results: શરદ પવાર અને કોંગ્રેસના ગઢમાં ગાબડું! મહાયુતિએ ગ્રામીણ બેલ્ટમાં મચાવ્યો ખળભળાટ, ૮૦% ની જીત સાથે ભાજપ બન્યો મહારાષ્ટ્રનો અજેય કિલ્લો
Yavatmal School Controversy: યવતમાળની ઉર્દૂ શાળામાં વિવાદ: પાકિસ્તાની લશ્કરી ગીત પર વિદ્યાર્થીઓનો ડાન્સ, દેશવિરોધી કૃત્ય બદલ પોલીસમાં ફરિયાદ દાખલ
Pune Bulldozer Action: પુણેમાં મ્યુનિસિપલ કોર્પોરેશનનું મોટું ઓપરેશન: મેયરની ચૂંટણી પહેલા સરકારી જમીન પર ચાલ્યું બુલડોઝર, જાણો કયા વિસ્તારોમાં થઈ કડક કાર્યવાહી
Exit mobile version