મણિપુરમાં મુખ્યમંત્રી પદને લઇને સસ્પેન્સ ખતમ, આ દિગ્ગજ નેતાએ આજે રાજભવનમાં લીધા શપથ; જાણો વિગતે

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

એન. બીરેન સિંહે આજે બીજા વાર મણિપુરના મુખ્યમંત્રી બન્યા છે. 

તેમને રાજ્યપાલ એલ ગણેશન પદ અને ગોપનીયતાના શપથ અપાવ્યા છે. 

બીરેન સિંહની સાથે નેમચા કિપગેન, વાઈ, ખેમચંદ સિંહ, બિસ્વજીત સિંહ, અવંગબૌ ન્યૂમાઈ અને ગોવિંદદાસ કોંથૌજમે ઇમ્ફાલમાં કેબિનેટ મંત્રીઓના રૂપમાં શપથ લીધા છે. 

આ તકે ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા સહિત ભાજપના વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. 
 
ઉલ્લેખનીય છે કે, એન.બીરેન સિંહને મણિપુર ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં સર્વસંમતિથી રાજ્યના મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.

 આ સમાચાર પણ વાંચો : મંત્રી નવાબ મલિકની ન્યાયિક કસ્ટડીમાં થયો વધારો, કોર્ટ તેમને જેલમાં 'આ' વસ્તુઓનો ઉપયોગ કરવાની આપી મંજૂરી; જાણો વિગતે

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More