Site icon News Continuous Bureau | Mumbai

શું મહારાષ્ટ્રમાં ત્રીજી લહેર આવી ગઈ છે? માત્ર જાહેરાત બાકી છે? આ રહ્યા સાત જિલ્લાના આંકડા

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 6 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Channel

સોમવાર

મહારાષ્ટ્ર રાજ્ય સરકારે કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપી શકે એવા સાત જિલ્લાઓની જાહેરાત કરી છે. જ્યાં ગત ૧૦ દિવસમાં કોરોનાના કેસની સંખ્યા ઘટી નથી અને નવા કેસમાં ૫ાંચ ટકા વધારો થયો છે. આ સાત જિલ્લામાં પુણે, અહમદનગર, સતારા, સોલાપુર, સાંગલી, રત્નાગિરિ અને સિંધુદુર્ગનો સમાવેશ થાય છે.

આ અઠવાડિયામાં પુણે, અહમદનગર જિલ્લામાં પૉઝિટિવિટી રેટ અનુક્રમે ૬.૫૮ ટકા અને ૫.૦૮ ટકા હતો. પાછલા દસ દિવસમાં રાજ્યમાં નોંધાયેલા ૪૪,૪૩૭ નવા કોરોના કેસમાંથી ૩૦,૩૧૩ એટલે કે ૬૮ ટકા કેસ પુણેના છે. ત્યાર બાદ અહમદનગરમાં ૧૭ ટકા, સતારામાં ૧૧ ટકા અને સોલાપુરમાં નવ ટકા કેસ છે. જ્યારે સાંગલીમાં કોરોનાના ૫૩ કેસ, રત્નાગિરિમાં ૩૩ અને સિંધુદુર્ગમાં ૧૫ કેસ છે. અત્યારે મહારાષ્ટ્રમાં કુલ ૬૨,૪૫૨ ઍક્ટિવ કેસ છે. 

ચોથી ટેસ્ટની વચ્ચે ટીમ ઈન્ડીયાને મોટો ઝટકો, કોચ રવિ શાસ્ત્રી કોરોના પોઝિટીવ; આટલા સભ્યો આઇસોલેશનમાં

ઉલ્લેખનીય છે કે જે સાત જિલ્લામાં કોરોના પૉઝિટિવિટી રેટ વધુ છે, ત્યાં ગણેશોત્સવ મોટા પાયે મનાવવામાં આવે એવી શક્યતા છે. એથી આ જિલ્લાઓમાં પરિસ્થિતિ વધુ બગડી શકે છે.

Brutal Murder Investigation નવી મુંબઈમાં લોહિયાળ રાત સીબીડી બેલાપુરમાં યુવકની ધારદાર શસ્ત્રથી કરપીણ હત્યા, વિસ્તારમાં ફફડાટ!
SIR Campaign શું છે મતદાર યાદી માટેની ‘SIR’ ઝુંબેશ? જાણો શું છે આ પ્રક્રિયા અને શા માટે છે મહત્વની
Railway Update પ્રવાસીઓ સાવધાન! 24 જુલાઈ સુધી લોનાવાલાકરજત ઘાટમાં કામગીરીને લીધે ટ્રેન વ્યવહાર પ્રભાવિત, જાણો કઈ ટ્રેનો રદ થઈ?
Fake DCP Exposed 10 વર્ષ સુધી IPS બનીને ફરી રહ્યો હતો ઠગ! અમિતાભ બચ્ચન અને જેકી શ્રોફ સાથેના ફોટા બતાવી લાખોની છેતરપિંડી
Exit mobile version