ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.
મુંબઈ, 7એપ્રિલ 2021.
બુધવાર.
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન ટીમે મંગળવારે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપોની પ્રાથમિક તપાસની નોંધ કરી છે.
મુંબઇ હાઇકોર્ટના આદેશનું પાલન કરતાં કેન્દ્રીય તપાસ એજન્સી ની ટીમે અનિલ દેશમુખ વિરુદ્ધ તમામ સંબંધિત દસ્તાવેજો એકત્રિત કર્યા હતા અને પ્રારંભિક તપાસ પણ શરૂ કરી હતી. જોકે અનિલ દેશમુખે તેમની વિરુદ્ધ ના આરોપોને પડકારતા સુપ્રીમ કોર્ટમાં સ્પેશ્યલ લીવની અરજી દાખલ કરી છે.
મહાનગરપાલિકા નો નવો નિયમ : લોકડાઉન હોવા છતાં ચોવીસ કલાક આ બે કામ થઈ શકશે.
ઉલ્લેખનીય છે કે,મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે ગૃહમંત્રી અનિલ દેશમુખ ઉપર ભ્રષ્ટાચારના ગંભીર આરોપો મૂક્યા હતા. અનિલ દેશમુખે પોતાના ઉપર લગાડવામાં આવેલા તમામ આરોપોને નકારી કાઢ્યા છે.
