News Continuous Bureau | Mumbai
Nitesh Rane AIMIM Rally : મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલા રામગીરી મહારાજ અને બીજેપી નેતા નીતિશ રાણે સામે કાર્યવાહીની માંગણીનો મુદ્દો જોર પકડતો જોવા મળી રહ્યો છે. સોમવારે, અસુદ્દીન ઓવૈસીની આગેવાની હેઠળ AIMIM એ ઔરંગાબાદ (છત્રપતિ સંભાજીનગર) થી મુંબઈ સુધી શક્તિ પ્રદર્શનમાં ત્રિરંગા સાથે બંધારણ રેલી કાઢી હતી.
Nitesh Rane AIMIM Rally : અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામ
ઔરંગાબાદના પૂર્વ સાંસદ ઈમ્તિયાઝ અલી અને વારિસ પઠાણ જેવા નેતાઓની આગેવાનીમાં યાત્રામાં મોટી ભીડ એકઠી થઈ હતી. જ્યારે રેલી મુંબઈ પહોંચી ત્યારે અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામ થઈ ગયો હતો. ગત 11 સપ્ટેમ્બરે ઈમ્તિયાઝ અલીએ 23 સપ્ટેમ્બરે મુંબઈ તરફ કૂચ કરવાની જાહેરાત કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે તેઓ મુંબઈ જશે અને મહાયુતિ અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓને બંધારણની નકલો અર્પણ કરશે. AIMIMના મુંબઈ ચલો કૂચમાં મહારાષ્ટ્રભરમાંથી પાર્ટીના નેતાઓ અને સમર્થકો વાહનોમાં મુંબઈ પહોંચ્યા હતા.
Nitesh Rane AIMIM Rally : જુઓ વિડીયો
Imtiyaz Jaleel gave a call to Chalo Mumbai for the Muslim community. The Muslim community, irrespective of political inclination have joined the rally with thousands of cars from across MH & reached Mumbai, to show the strength and threatened if anyone says against Islam. pic.twitter.com/mecVtAzHjf
— Ajju (@ajaybatchu77777) September 24, 2024
Nitesh Rane AIMIM Rally : મુસ્લિમોને ધમકી આપવામાં આવી રહી છે – ઈમ્તિયાઝ જલીલ
ઇમ્તિયાઝ જલીલે વધુમાં જણાવ્યું હતું કે, મુસ્લિમોને સ્ટેજ પરથી ધમકાવવામાં આવે છે, શું આ ગુનાહિત કૃત્યો નથી? શું કાર્યવાહી ન થવી જોઈએ? આ બધા પર કાર્યવાહી કરવામાં આવી રહી નથી. તેથી જ અમે નક્કી કર્યું છે કે અમે મુંબઈ જઈશું. અને મહારાષ્ટ્ર સરકાર, ખાસ કરીને મુખ્યમંત્રી એકનાથ શિંદે, જેમણે રામગીરી મહારાજને સમર્થન આપ્યું હતું, તેઓને એ અહેસાસ કરાવશે કે આ દેશ બંધારણ પ્રમાણે ચાલશે, કાયદા પ્રમાણે આ રીતે કોઈ એક જાતિ કે કોઈ એક ધર્મ પ્રમાણે નહીં ચાલે.
In mumbai AIMIM leader imtiyaz jalil organised world biggest muslim rally against hindutva devil hate mongers ramgiri maharaj.@AJEnglish @OIC_OCI @trtworld @cnni @AlArabiya_Eng @BBCWorld @dwnews @QatarNewsAgency @Voice_OfMuslim @khaleejtimes https://t.co/PWgQ2Mi5dJ
— peace warrior (@peacewarrier20) September 23, 2024
આ સમાચાર પણ વાંચો : Badlapur Akshay Shinde Encounter : બદલાપુરના આરોપી અક્ષય શિંદેનું એન્કાઉન્ટરમાં ઠાર, શિવસેનાએ વહેંચી મીઠાઈ અને આતશબાજી થઈ; જુઓ વિડીયો
Nitesh Rane AIMIM Rally : મુલુંડ ચેક પોઈન્ટ પર રોકવામાં આવશે
મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, કોઈપણ AIMIM નેતા અથવા મુસ્લિમ સંગઠન જે મુંબઈમાં પ્રવેશવાનો પ્રયાસ કરશે તેને મુલુંડ ચેક પોઈન્ટ પર રોકવામાં આવશે. જેથી કરીને તેઓ મુંબઈમાં પ્રવેશી ન શકે. મુંબઈ પોલીસ અને થાણે પોલીસના લોકો મોટી સંખ્યામાં હાજર છે અને બેરીકેટ્સ લગાવી દેવામાં આવ્યા છે. AIMIMના નેતા ઈમ્તિયાઝ જલીલે કહ્યું કે સરકાર જાણે છે કે મહારાષ્ટ્રની અંદર જે પણ થઈ રહ્યું છે તે સરકાર જ કરી રહી છે. મહારાષ્ટ્રમાં ખુલ્લેઆમ મુસ્લિમો પર અત્યાચાર થઈ રહ્યો છે. શું આમાં કાર્યવાહી ન થવી જોઈએ? એટલા માટે અમે મુંબઈ સુધી કૂચ કરવાના છીએ.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)