Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકર વિવાદ વધુ વકર્યો, આ જિલ્લા પ્રશાસનનો મોટો આદેશ, અઝાન સમયે હનુમાન ચાલીસા વગાડી શકાશે નહીં.. 

News Continuous Bureau | Mumbai

અઝાન(Azaan)અને હનુમાન ચાલીસા (Hanuman Chalisa)વિવાદ વચ્ચે નાસિક પ્રશાસને(Nasik) એક મહત્વનો નિર્ણય લીધો છે. 

Join Our WhatsApp Channel

નાસિકમાં લાઉડ સ્પીકર(Loudspeaker) પર હનુમાન ચાલીસા કે ભજન વગાડવા માટે મંજૂરી લેવી પડશે. 

સાથે એમ પણ કહેવામાં આવ્યું છે કે, અઝાન પહેલા અને બાદમાં 15 મિનિટની અંદર આ માટે મંજૂરી નહીં મળે. મસ્જિદ(Mosque)ના આજુબાજુના 100 મીટરના ક્ષેત્રમાં આ માટે મંજૂરી નહીં મળે.

નાસિક પોલીસ કમિશનર દીપક પાંડે(Deepak Pandey)એ મીડિયાને જણાવ્યું કે, શાંતિ અને વ્યવસ્થા જાળવી રાખવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

નોંધનીય છે કે હાલમાં જ મનસે(MNS Chief) ચીફ રાજ ઠાકરે(Raj Thackeray)એ ઠાકરે સરકાર(Uddhav Thackeray)ને અલ્ટીમેટમ આપ્યું હતું કે 3 મે સુધી મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટી જવા જોઈએ. નહીં તો મસ્જિદો સામે મોટા અવાજે હનુમાન ચાલીસા વગાડવામાં આવશે. ત્યારબાદ મહારાષ્ટ્ર સરકારે આ નિર્ણય લીધો છે. 

આ સમાચાર પણ વાંચો : સુપ્રીમ કોર્ટ પહોંચ્યો બુલડોઝરનો મામલો, જમીઅત ઉલમા-એ-હિંદે કોર્ટમાં દાખલ કરી અરજી.. કરી આ માંગણી 

Brutal Murder Investigation નવી મુંબઈમાં લોહિયાળ રાત સીબીડી બેલાપુરમાં યુવકની ધારદાર શસ્ત્રથી કરપીણ હત્યા, વિસ્તારમાં ફફડાટ!
SIR Campaign શું છે મતદાર યાદી માટેની ‘SIR’ ઝુંબેશ? જાણો શું છે આ પ્રક્રિયા અને શા માટે છે મહત્વની
Railway Update પ્રવાસીઓ સાવધાન! 24 જુલાઈ સુધી લોનાવાલાકરજત ઘાટમાં કામગીરીને લીધે ટ્રેન વ્યવહાર પ્રભાવિત, જાણો કઈ ટ્રેનો રદ થઈ?
Fake DCP Exposed 10 વર્ષ સુધી IPS બનીને ફરી રહ્યો હતો ઠગ! અમિતાભ બચ્ચન અને જેકી શ્રોફ સાથેના ફોટા બતાવી લાખોની છેતરપિંડી
Exit mobile version