મોટા સમાચાર : મહારાષ્ટ્રમાં 18 થી 44 વર્ષની વચ્ચેના લોકોને વેક્સિન નહીં મળે. સરકારનો નિર્ણય.

by Dr. Mayur Parikh

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૨ મે 2021
બુધવાર

મહારાષ્ટ્ર સરકારની કેબિનેટ મીટિંગમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય પ્રમાણે હવે મહારાષ્ટ્ર રાજ્યમાં 18 થી ૪૪ વર્ષની વયની વચ્ચેના લોકો માટે વેક્સિનેશન કાર્યક્રમ સ્થગિત કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર સરકારનું માનવું છે કે સામાન્ય રીતે વેક્સિન આપી દેવી જોઈએ પરંતુ હાલ વેક્સિન ની કમી છે. તેમજ ૪૪ વર્ષની ઉપરના લોકો ને પહેલું ડોઝ આપી દેવામાં આવ્યો છે. હવે તેમને બીજો ડોઝ આપવાનો સમય પાકી ગયો છે. જો આ રસી નહીં આપવામાં આવે તો પહેલી રસી નો કોઈ ઉપયોગ નહીં થાય. આ કારણથી રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે મહારાષ્ટ્રમાં પહેલા 44 વર્ષથી વધુની વયના લોકોને વેક્સિન આપવામાં આવશે. ત્યારબાદ નવી વેક્સિન મળ્યા પછી 18 વર્ષથી વધુ વયના લોકો વિશે વિચાર કરવામાં આવશે.

શું મોદી સરકારે સાડા છ કરોડ કોરોના વેક્સીન ના ડોઝ વિદેશ મોકલ્યા? આ રહ્યો એક્સપોર્ટ થયેલી વેક્સિન નો હિસાબ…

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More