જય માતાજી! યાત્રાધામ અંબાજી મંદિરને એનઆરઆઈ માઇભકતે ભેટ સ્વરૂપે આપ્યું આટલા ગ્રામ સોનુ

by Dr. Mayur Parikh
Mohanthal prasad to be restored at Ambaji Mandir : Gujarat govt

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 3 ફેબ્રુઆરી 2022    

ગુરુવાર 

ગુજરાતની અંદર ઘણા બધા પવિત્ર યાત્રાધામ આવેલા છે અને ઘણા યાત્રાધામનો મહિમા પણ અનેરો છે. એવું જ 
એક યાત્રાધામ છે અંબાજી. જ્યાં મા અંબાની ભક્તિ આરાધના કરવામાં આવે છે અને વર્ષ દરમિયાન લાખો ભક્તો માતાજીના દર્શન કરવા માટે જતા રહે છે. સાથે જ માતાજીને ભેટ સોગાદ પણ અર્પણ કરતા હોય છે.

ત્યારે હાલમાં જ યાત્રાધામ અંબાજીમાં એક એનઆરઆઇ માઇભકતે ૧૦૦ ગ્રામ સોનું ભેટ આપ્યું હતું. આ ભક્ત દ્વારા અંબાજી મંદિરને સુવર્ણથી મઢવા માટે આ દાન કરવામાં આવ્યું છે. આ દાન આપનાર માઇભકતે પોતાનું નામ પણ જાહેર નથી કર્યું.

પિતાનો દાવો- કોવિડ વેક્સિનથી થયું પુત્રીનું મોત, આ કોરોના રસીની કંપની પાસેથી આટલા કરોડનું નુકસાન વસૂલવા ખટખટાવ્યા હાઈ કોર્ટના દરવાજા

હાલમાં મંદિરને સુવર્ણમય બનાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ કામને સરકાર દ્વારા પણ મંજૂરી આપી દેવામાં આવી છે. જે અંતર્ગત ઘણાબધા માઈભક્તો દ્વારા સોનાનું દાન કરવામાં આવી રહ્યું છે, તે જ શ્રેણીમાં આ એનઆરઆઈ ભક્ત દ્વારા પણ રૂપિયા ૪,૯૦,૦૦૦નું ૧૦૦ ગ્રામ સોનુ ભેટ ધરવામાં આવ્યું હતું

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More