Site icon News Continuous Bureau | Mumbai

Pahalgam Terror Attack Compensation : મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય; મૃતકોના પરિવારજનોને અપાઈ અધધ આટલા લાખ રૂપિયાની સહાય

Pahalgam Terror Attack Compensation : રાહત અને પુનર્વસન વિભાગ દ્વારા સંબંધિત પરિવારોને 50 લાખ રૂપિયાનું વિતરણ કરવામાં આવ્યું છે.

Pahalgam Terror Attack Compensation Maharashtra govt to give Rs 50 lakh each to families of 6 state natives killed in Pahalgam attack

Pahalgam Terror Attack Compensation Maharashtra govt to give Rs 50 lakh each to families of 6 state natives killed in Pahalgam attack

News Continuous Bureau | Mumbai

Pahalgam Terror Attack Compensation : ગત એપ્રિલમાં જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં મહારાષ્ટ્રના છ નાગરિકોના દુઃખદ મોત થયા હતા. આ હૃદયદ્રાવક ઘટના બાદ રાજ્ય સરકારે લીધેલો મહત્વપૂર્ણ નિર્ણય હવે સાકાર થયો છે. રાહત અને પુનર્વસન મંત્રી મકરંદ પાટીલે માહિતી આપી છે કે મૃતકોના પરિવારોને 50 લાખ રૂપિયાની નાણાકીય સહાયનું વિતરણ કરવામાં આવ્યું છે.

Join Our WhatsApp Channel

Pahalgam Terror Attack Compensation : સહાય રકમ વધારીને 50 લાખ રૂપિયા કરવામાં આવી 

હુમલા પછી, શરૂઆતમાં મૃતકોના પરિવારો માટે 5 લાખ રૂપિયાની કટોકટી સહાયની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, રાજ્ય મંત્રીમંડળની ખાસ બેઠકમાં આ રકમ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તે મુજબ, સહાય રકમ વધારીને 50 લાખ રૂપિયા કરવામાં આવી અને હવે રાહત અને પુનર્વસન વિભાગ દ્વારા સંબંધિત પરિવારોને આ રકમનું વિતરણ કરવામાં આવ્યું છે.

આ સમાચાર પણ વાંચો : Mumbai Real Estate deal : ભાઈ… કોણ કહે છે મંદી છે? મુંબઈમાં થયો સૌથી મોંઘો રિયલ એસ્ટેટ સોદો; આ વિસ્તારમાં બે ડુપ્લેક્સ ફ્લેટ વેચાયા અધધ 639 કરોડમાં..

આ નિર્ણયથી પીડિતોના પરિવારોને મોટી રાહત મળી છે તે સમજાવતા મંત્રી મકરંદ પાટીલે કહ્યું, આતંકવાદીઓએ પરિવારોનો આધાર છીનવી લીધો છે, પરંતુ રાજ્ય સરકાર તેમની પાછળ મજબૂતીથી ઉભી છે. આ નાણાકીય સહાય તેમને નવેસરથી ઉભા રહેવા માટે ટેકો આપશે.

Pahalgam Terror Attack Compensation :  પીડિત પરિવારોને થોડી રાહત મળી

મંત્રી મકરંદ પાટીલએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે રાજ્ય સરકારે લીધેલા આ સંવેદનશીલ નિર્ણયથી પીડિત પરિવારોને થોડી રાહત મળી છે અને સમાજને સકારાત્મક સંદેશ મળ્યો છે.

 

Brutal Murder Investigation નવી મુંબઈમાં લોહિયાળ રાત સીબીડી બેલાપુરમાં યુવકની ધારદાર શસ્ત્રથી કરપીણ હત્યા, વિસ્તારમાં ફફડાટ!
SIR Campaign શું છે મતદાર યાદી માટેની ‘SIR’ ઝુંબેશ? જાણો શું છે આ પ્રક્રિયા અને શા માટે છે મહત્વની
Railway Update પ્રવાસીઓ સાવધાન! 24 જુલાઈ સુધી લોનાવાલાકરજત ઘાટમાં કામગીરીને લીધે ટ્રેન વ્યવહાર પ્રભાવિત, જાણો કઈ ટ્રેનો રદ થઈ?
Fake DCP Exposed 10 વર્ષ સુધી IPS બનીને ફરી રહ્યો હતો ઠગ! અમિતાભ બચ્ચન અને જેકી શ્રોફ સાથેના ફોટા બતાવી લાખોની છેતરપિંડી
Exit mobile version