PM Modi Vadtal Shree Swaminarayan Temple: PM મોદીએ વડતાલમાં શ્રી સ્વામિનારાયણ મંદિરની 200મી જન્મજયંતિ ઉજવણીમાં લીધો ભાગ, કહ્યું, ‘ વિકસિત ભારત બનવાની પ્રથમ શરત..’

PM Modi Vadtal Shree Swaminarayan Temple: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતનાં વડતાલમાં શ્રી સ્વામિનારાયણ મંદિરની 200મી જન્મજયંતિની ઉજવણીમાં ભાગ લીધો. સંતોએ આપણા સમાજમાં બહુ મોટું યોગદાન આપ્યું છે, જ્યારે આખો સમાજ અને દેશ એક ઉદ્દેશ્યને પૂર્ણ કરવા માટે એક સાથે આવે છે, ત્યારે તે ચોક્કસપણે સિદ્ધ થાય છે. આખો દેશ એક નિશ્ચિત લક્ષ્ય સાથે આગળ વધી રહ્યો છે, આ વિકસિત ભારતનું લક્ષ્ય છે સ્વતંત્રતાની ચળવળ દરમિયાન જે ઝંખના અને ચેતના હતી, તે વિકસિત ભારત માટે 140 કરોડ દેશવાસીઓમાં દરેક ક્ષણે હોવી જ જોઈએ. વિકસિત ભારત બનવાની પ્રથમ શરત એ છે કે લોકલ માટે વોકલ બનીને "આત્મનિર્ભર" બનવું. સમગ્ર વિશ્વ ભારતના યુવાનોની સંભવિતતાથી આકર્ષિત છે, આ કુશળ યુવાનો માત્ર દેશ જ નહીં પરંતુ વિશ્વની જરૂરિયાતોને પહોંચી વળવા માટે તૈયાર રહેશે. કોઈ પણ દેશ પોતાની વિરાસત પર ગર્વ કરીને અને તેને સંરક્ષિત કરીને જ આગળ વધી શકે છે, અમારો મંત્ર વિકાસની સાથે સાથે વિરાસત પણ છે: પ્રધાનમંત્રી

by Hiral Meria
PM Modi participated in the 200th birth anniversary celebrations of shri Swaminarayan Temple in Vadtal

News Continuous Bureau | Mumbai

PM Modi Vadtal Shree Swaminarayan Temple: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના વડતાલમાં શ્રી સ્વામિનારાયણ મંદિરની 200મી વર્ષગાંઠની ઉજવણીમાં સહભાગી થયા હતા. તેમણે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉપસ્થિત જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું કે, શ્રી સ્વામિનારાયણની કૃપાથી જ 200મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી રહી છે. વિશ્વભરના તમામ શિષ્યોને આવકારતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ મંદિરની પરંપરામાં સેવા સૌથી આગળ છે અને શિષ્યો આજે સેવામાં લીન થયા હતા. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તાજેતરમાં મીડિયામાં આ ઉજવણી જોઈને તેમને આનંદ થયો છે. 

વડતાલ ધામમાં 200મા વર્ષની ઉજવણી માત્ર ઇતિહાસ જ ન હોવાનો ઉલ્લેખ કરીને PM મોદીએ જણાવ્યું હતું કે, વડતાલ ધામમાં અત્યંત શ્રદ્ધા સાથે ઉછરેલા તેમના સહિત અનેક શિષ્યો માટે આ એક મહત્ત્વપૂર્ણ ઘટના છે. તેમણે ઉમેર્યું હતું કે, આ પ્રસંગ ભારતીય સંસ્કૃતિનાં શાશ્વત પ્રવાહનો પુરાવો છે. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, શ્રી સ્વામિનારાયણ દ્વારા વડતાલ ધામની સ્થાપના કર્યાને 200 વર્ષ પછી પણ આધ્યાત્મિક ચેતનાને જીવંત રાખવામાં આવી છે અને શ્રી સ્વામિનારાયણના ઉપદેશો અને ઊર્જાનો અનુભવ આજદિન સુધી થઈ શકે છે. શ્રી મોદીએ તમામ સંતો અને શિષ્યોને આ મંદિરના 200માં વર્ષની ઉજવણી બદલ હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. પ્રધાનમંત્રીને એ વાતની ખુશી હતી કે, ભારત સરકારે રૂ. 200 (200)નો ચાંદીનો સિક્કો અને સ્મારકની પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડી હતી. તેમણે ઉમેર્યું હતું કે, આ પ્રતીકો આ મહાન પ્રસંગની યાદોને આવનારી પેઢીઓનાં મનમાં જીવંત રાખશે.

પ્રધાનમંત્રીએ ( Narendra Modi ) ભારપૂર્વક જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ સાથે સંબંધિત દરેક વ્યક્તિ આ પરંપરા સાથેના તેમના મજબૂત વ્યક્તિગત, આધ્યાત્મિક અને સામાજિક સંબંધોથી વાકેફ છે. તેમણે ઉમેર્યું હતું કે, રાષ્ટ્રના વિકાસ માટે અર્થપૂર્ણ ચિંતનની તકની સાથે ભૂતકાળમાં તેમજ અત્યારે સંતોના દિવ્ય સંગતનો આનંદ માણ્યો છે. પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, તેઓ અન્ય કાર્યક્રમોને કારણે આ કાર્યક્રમમાં વ્યક્તિગત રીતે હાજરી આપી શક્યાં નહોતાં, જોકે તેઓ વડતાલ ધામમાં માનસિક રીતે ઉપસ્થિત રહ્યાં હતાં.

PM મોદીએ નોંધ્યું હતું કે, ભારતની વિશેષતા પૂજ્ય સંત પરંપરા રહી છે અને મુશ્કેલ સમયમાં હંમેશા કોઈ ઋષિ કે સંત કે મહાત્મા પ્રગટ થયા છે. તેમણે ઉમેર્યું હતું કે, ભગવાન સ્વામિનારાયણ ( Shree Swaminarayan Temple ) પણ એવા સમયે આવ્યા હતા જ્યારે સેંકડો વર્ષોની ગુલામી બાદ દેશ નબળો પડ્યો હતો અને પોતાનામાંથી વિશ્વાસ ઊઠી ગયો હતો. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, ભગવાન સ્વામિનારાયણ અને તે સમયના તમામ સંતોએ ન માત્ર નવી આધ્યાત્મિક ઊર્જા આપી, પરંતુ આપણા સ્વાભિમાનને પણ જાગૃત કર્યું અને આપણી ઓળખને પુનર્જીવિત કરી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે શિક્ષાપત્રી અને વચનામૃતનું યોગદાન આ દિશામાં વિશાળ હતું અને તેમના ઉપદેશોને આત્મસાત કરવું અને તેમને આગળ વધારવું એ આપણા બધાની ફરજ છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, તેમને પ્રસન્નતા છે કે, વડતાલ ધામ માનવતાની સેવા અને નવા યુગનાં નિર્માણમાં બહુ મોટું પ્રદાન કરીને એક મોટું પ્રેરણાસ્ત્રોત બની ગયું છે. તેમણે ઉમેર્યું હતું કે, આ જ વડતાલ ધામે વંચિત સમાજમાંથી સગારામજી જેવા મહાન શિષ્યો આપ્યા હતા. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, અત્યારે ઘણાં બાળકોને ભોજન, આશ્રય, શિક્ષણ ની સાથે-સાથે દૂર-સુદૂરના આદિવાસી વિસ્તારોમાં વિવિધ પ્રોજેક્ટોની સાથે-સાથે વડતાલ ધામ દ્વારા વિવિધ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, આદિવાસી વિસ્તારોમાં સ્ત્રી શિક્ષણ જેવા મહત્વના અભિયાનો હાથ ધરવામાં આવી રહ્યા છે. શ્રી મોદીએ વડતાલ ધામની અન્ય સેવાઓ જેવી કે ગરીબોની સેવા કરવી, નવી પેઢીનું નિર્માણ કરવું, આધુનિકતા અને આધ્યાત્મિકતાનો સમન્વય કરીને ભારતીય સંસ્કૃતિનું જતન કરવું વગેરે બાબતો પર પ્રકાશ પાડ્યો હતો. શ્રી મોદીએ વડતાલ ધામના સંતો અને ભક્તોને ક્યારેય નિરાશ ન કરવા બદલ અને વધુ સારા ભવિષ્ય માટે સ્વચ્છતાથી લઈને પર્યાવરણ સુધીના અભિયાનો હાથ ધરવા બદલ તેમની પ્રશંસા કરી હતી. તેમણે ઉમેર્યું કે, તેઓએ તેને પોતાની જવાબદારી તરીકે સ્વીકાર્યું છે અને તેને સૌ હૃદય અને આત્માથી પૂર્ણ કરવામાં રોકાયેલા છે. શ્રી મોદીએ એમ પણ નોંધ્યું હતું કે, એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત સ્વામિનારાયણ પરંપરાના શિષ્યોએ એક લાખથી વધુ વૃક્ષો વાવ્યા છે. 

આ સમાચાર પણ વાંચો:  Vistara Last Flight: બાય-બાય વિસ્તારા… આજે છેલ્લી ફ્લાઇટ, આવતીકાલથી આ એરલાઇન સંભાળશે કમાન… 

PM Modi Vadtal Shree Swaminarayan Temple: વિકસિત ભારત માટે પ્રથમ શરત તેને આત્મનિર્ભર ભારત બનાવવાની હતી 

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, દરેક વ્યક્તિનાં જીવનનો એક હેતુ હોય છે, જે વ્યક્તિનું જીવન પણ નક્કી કરે છે. તેમણે ઉમેર્યું હતું કે, આ હેતુ આપણા મન, કર્મ અને શબ્દોને પ્રભાવિત કરે છે અને જ્યારે વ્યક્તિને જીવનનો હેતુ મળે છે, ત્યારે આખું જીવન બદલાઈ જાય છે. તેમણે કહ્યું કે સંતો અને ઋષિમુનિઓએ દરેક યુગમાં લોકોને તેમના જીવનના હેતુ વિશે જાગૃત કર્યા છે. શ્રી મોદીએ આપણા સમાજમાં સંતો અને ઋષિમુનિઓના વિશાળ યોગદાન પર પ્રકાશ પાડ્યો હતો અને ઉમેર્યું હતું કે, જ્યારે સમગ્ર સમાજ અને દેશ એક સાથે મળીને કોઈ ઉદ્દેશ પાર પાડશે, ત્યારે તે ચોક્કસ પણે સિદ્ધ થશે. તેમણે ઉમેર્યું હતું કે, તેનાં ઘણાં ઉદાહરણો છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ધાર્મિક સંસ્થાઓએ આજે યુવાનોને મોટો ઉદ્દેશ પ્રદાન કર્યો છે અને આખો દેશ વિકસિત ભારતનાં નિર્ધારિત લક્ષ્યાંક સાથે આગળ વધી રહ્યો છે. શ્રી મોદીએ વડતાલના સંતો-મહંતો અને સમગ્ર સ્વામિનારાયણ પરિવારને વિકસિત ભારતના આ પવિત્ર હેતુને લોકો સુધી પહોંચાડવા અનુરોધ કર્યો હતો. પ્રધાનમંત્રીએ સ્વતંત્રતાની ચળવળનો ઉલ્લેખ ટાંકીને જણાવ્યું હતું કે, આઝાદીની ઇચ્છા, આઝાદીની તણખાશ એક સદી સુધી સમાજનાં વિવિધ ખૂણામાંથી દેશવાસીઓને પ્રેરણા આપતી રહી છે અને એક પણ દિવસ કે એક ક્ષણ એવો પસાર નથી થયો કે જ્યારે લોકોએ સ્વતંત્રતાનાં પોતાનાં ઇરાદાઓ, તેમનાં સ્વપ્નો, તેમનાં સંકલ્પો ત્યજી દીધાં હોય. તેમણે ઉમેર્યું હતું કે, આઝાદીની ચળવળમાં જે પ્રકારની ઇચ્છા જોવા મળી હતી, એ જ પ્રકારની ઇચ્છા વિકસિત ભારત માટે દરેક ક્ષણે 140 કરોડ દેશવાસીઓ માટે જરૂરી હતી. તેમણે તમામ સંતો અને શિષ્યોને લોકોને પ્રેરિત કરવા અપીલ કરી હતી કે, આવનારા 25 વર્ષ સુધી તેઓ વિકસિત ભારતનાં લક્ષ્યાંકને જીવી શકે અને દરેક ક્ષણે આપણી જાતને તેની સાથે જોડાયેલા રાખે. પ્રધાનમંત્રીએ વધુમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, દરેક વ્યક્તિએ વિકસિત ભારતમાં પોતાનું સ્થાન લીધા વિના પ્રદાન કરવું જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે, વિકસિત ભારત માટે પ્રથમ શરત તેને આત્મનિર્ભર ભારત બનાવવાની હતી અને તેને હાંસલ કરવા માટે કોઈ બહારના વ્યક્તિની જરૂર નથી, પરંતુ ભારતના 140 કરોડ નાગરિકો માટે છે. શ્રી મોદીએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત શિષ્યોને વોકલ ફોર લોકલને પ્રોત્સાહન આપીને યોગદાન આપવા વિનંતી કરી હતી. વિકસિત ભારત માટે દેશની એકતા અને અખંડિતતાના મહત્વ પર પ્રકાશ પાડતા શ્રી મોદીએ કહ્યું હતું કે, સ્થાપિત હિતો સમાજને નષ્ટ કરવાનું ષડયંત્ર રચી રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, આ પ્રકારનાં પ્રયાસોને સંગઠિત રીતે હરાવવાનાં આ પ્રયાસની ગંભીરતાને સમજવી અનિવાર્ય છે.

PM મોદીએ ભગવાન શ્રી સ્વામિનારાયણના કઠોર તપસ્યાથી કેટલા મોટા ધ્યેયો હાંસલ થાય છે, યુવા માનસ કેવી રીતે રાષ્ટ્રના નિર્માણ માટે નિર્ણાયક દિશા લેવાની ક્ષમતા ધરાવે છે અને યુવાનો કેવી રીતે રાષ્ટ્રનું નિર્માણ કરી શકે છે અને કેવી રીતે કરશે તે અંગેના ઉપદેશો પર ભાર મૂક્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, આ માટે સક્ષમ અને શિક્ષિત યુવાનો ઊભા કરવા જરૂરી છે. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સશક્ત અને કુશળ યુવાનો વિકસિત ભારત માટે સૌથી મોટી તાકાત છે. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, ભારતનાં યુવાનોની વૈશ્વિક માગમાં વધુ વધારો થશે. પ્રધાનમંત્રીએ એ બાબત પર પ્રકાશ પાડ્યો હતો કે, દુનિયામાં ભારતની કુશળ માનવશક્તિની માગ ઘણી મોટી છે અને સમગ્ર વિશ્વ ભારતની મજબૂત યુવાશક્તિથી આકર્ષાઈ રહ્યું છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આ યુવાનો માત્ર દેશની જ નહીં, પણ દુનિયાની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે પણ તૈયાર થશે. વ્યસન મુક્તિ અંગે સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રયાસોને ઉજાગર કરતા શ્રી મોદીએ સંતો-શિષ્યોને યુવાનોને વ્યસનમુકત રાખવા અને તેમને નશામુક્ત બનાવવામાં યોગદાન આપવા અનુરોધ કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, યુવાનોને નશીલા દ્રવ્યોની લતમાંથી બચાવવા માટેનાં અભિયાનો અને પ્રયાસો ભારતમાં જ નહીં, પણ સમગ્ર વિશ્વમાં હંમેશા જરૂરી છે અને તેને સતત કરવાં પડે છે.

PM Modi Vadtal Shree Swaminarayan Temple: અક્ષર ભુવન ભારતના અમર આધ્યાત્મિક વારસાનું ભવ્ય મંદિર બનશે: PM મોદી

કોઈ પણ દેશ ત્યારે જ પ્રગતિ કરી શકે છે, જ્યારે તેને તેના વારસા પર ગર્વ હોય અને તેનું જતન કરવામાં આવે. PM મોદીએ કહ્યું હતું કે, “ભારતનો મંત્ર વિકાસ અને તેની વિરાસત છે.” શ્રી મોદીને એ વાતનો આનંદ હતો કે, અયોધ્યાનું ઉદાહરણ ટાંકીને હજારો વર્ષ જૂનાં ભારતનાં હેરિટેજ સેન્ટર્સની કીર્તિનો પુનઃવિકાસ થઈ રહ્યો છે, જે એક સમયે નાશ પામેલાં માનવામાં આવતું હતું. તેમણે કાશી, કેદારનાથ, પાવગઢ, મોઢેરા, સોમનાથના સૂર્યમંદિરની કાયાપલટનાં ઉદાહરણો ટાંક્યાં હતાં. તેમણે ઉમેર્યું હતું કે, એક નવી ચેતના અને નવી ક્રાંતિ ચારે બાજુ સ્પષ્ટ છે. શ્રી મોદીએ એ બાબતની નોંધ પણ લીધી હતી કે, સેંકડો વર્ષ જૂની ચોરાયેલી દેવી-દેવતાઓની મૂર્તિઓને ભારતમાં પરત કરવામાં આવી રહી છે. લોથલના પુનઃવિકાસના પ્રોજેક્ટને ટાંકીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સાંસ્કૃતિક સભાનતાનું અભિયાન માત્ર સરકારની જ જવાબદારી નથી, પણ આ ભૂમિને ચાહતા તમામ નાગરિકોની, આ દેશને, જે તેની પરંપરાઓને ચાહે છે, તેની સંસ્કૃતિ પર ગર્વ અનુભવે છે, જેઓ આપણા વારસાની પ્રશંસા કરે છે. વડતાલ ધામમાં આવેલ ભગવાન સ્વામિનારાયણની કલાકૃતિઓનું સંગ્રહાલય અક્ષર ભુવન પણ આ અભિયાનનો એક ભાગ છે તેનો શ્રી મોદીએ આનંદ વ્યક્ત કર્યો હતો. મંડળને અભિનંદન પાઠવતા શ્રી મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, અક્ષર ભુવન ભારતના અમર આધ્યાત્મિક વારસાનું ભવ્ય મંદિર બનશે.

PM મોદીએ નોંધ્યું હતું કે, વિકસિત ભારતનો ઉદ્દેશ ત્યારે જ સરળતાથી હાંસલ થશે, જ્યારે 140 કરોડ ભારતીયો એક સાથે મળીને એક સમાન ઉદ્દેશ પાર પાડશે. તેમણે ઉમેર્યું હતું કે, આ યાત્રાને પૂર્ણ કરવામાં આપણાં સંતોનું માર્ગદર્શન ઘણું મહત્ત્વનું છે. પ્રધાનમંત્રીએ સમગ્ર વિશ્વમાંથી આવેલા તમામ સંતોને દર 12 વર્ષે યોજાતા પૂર્ણ કુંભ વિશે અને ભારતના વારસાની એક દીવાદાંડી સમાન પૂર્ણ કુંભ વિશે દુનિયા સમક્ષ પ્રચાર કરવા અપીલ કરી હતી. તેમણે સંતોને વિનંતી કરી હતી કે, તેઓ દુનિયાભરનાં લોકોને શિક્ષિત કરે અને બિન-ભારતીય મૂળનાં વિદેશીઓને પ્રયાગરાજમાં આયોજિત પૂર્ણ કુંભ વિશે સમજાવે. તેમણે તેમને અનુરોધ કર્યો હતો કે, તેઓ વિદેશમાં તેમની દરેક શાખામાંથી ઓછામાં ઓછા 100 વિદેશીઓ આગામી કુંભ મેળાની મુલાકાત ખૂબ જ આદર સાથે લે. તેમણે ઉમેર્યું હતું કે, આ સમગ્ર વિશ્વમાં જાગૃતિ ફેલાવવાનું કાર્ય હશે, જે સંતો સરળતાથી કરી શકશે.

પ્રવચનના સમાપનમાં PM મોદીએ રૂબરૂ હાજર રહી ન શકવા બદલ માફી માંગી હતી અને સ્વામિનારાયણ મંદિરના તમામ સંતો-શિષ્યોને દ્વિશતાબ્દી ઉજવણી માટે શુભેચ્છા પાઠવી હતી.

આ સમાચાર પણ વાંચો:  Gujarat PSS: CM ભૂપેન્દ્ર પટેલે ખેડૂતો માટે ટેકાના ભાવે આ પાકોની ખરીદીનો કરાવ્યો રાજ્ય વ્યાપી પ્રારંભ, ૩.૭૦ લાખથી વધુ કિસાનોએ કરી નોંધણી.

પાશ્વ ભાગ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 11 નવેમ્બર, 2024ના રોજ વીડિયો કોન્ફરન્સિંગ મારફતે ગુજરાતના વડતાલમાં શ્રી સ્વામિનારાયણ મંદિરની 200મી વર્ષગાંઠની ઉજવણીમાં સહભાગી થયા હતા. વડતાલનું શ્રી સ્વામિનારાયણ મંદિર ઘણા દાયકાઓથી લોકોના સામાજિક અને આધ્યાત્મિક જીવનને પ્રભાવિત કરી રહ્યું છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.) 

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More