Site icon News Continuous Bureau | Mumbai

શરદ પવારે કહ્યું વર્ષ 2019 માં વડાપ્રધાન મોદીએ આ ઓફર આપી હતી. પરંતુ અમે ના પાડી. જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 30 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર.  

એનસીપી વડા તથા હેવીવેઈટ રાજકીય નેતા શરદ પવારે એક મોટો ઘટસ્ફોટ કર્યો છે. 

શરદ પવારે એક કોફી ટેબલ બુકના વિમોચન સમયે કહ્યું કે 2019ની ચૂંટણી સમયે PM મોદીએ પ્રસ્તાવ કર્યો હતો કે એનસીપીએ એનડીએનો ભાગ બની જાય અને ભાજપ એનસીપી વચ્ચે જોડાણ થાય પણ મે મોદીને કહ્યું હતું કે આ શક્ય નથી.

સાથે તેમણે એમ પણ કહ્યું કે,એ વાત સાચી છે કે અમારા બંને પક્ષો વચ્ચે જોડાણ અંગે ચર્ચા થઈ હતી. વડા પ્રધાને કહ્યું કે આપણે તેના વિશે વિચારવું જોઈએ.

જો કે, મેં તેમને તેમની ઓફિસમાં જ કહ્યું કે તે શક્ય નથી અને હું તેમને અંધારામાં રાખવા માંગતો નથી

તેઓએ કહ્યું કે રાજયની ચૂંટણી સમયે વડાપ્રધાન સતત એવા તોફાની વિધાનો કરી રહ્યા હતા કે એનસીપી અમારી સાથે જોડાણ ઈચ્છે છે. તેઓ શિવસેનાના મનમાં શંકા ઉભી કરવા પ્રયાસ કરી રહ્યા હતા જેથી શિવસેના જોડાણમાંથી નિકળી જાય પણ આ શકય બન્યું ન હતું.

સંજય રાઉતે ફરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ટીકા કરી, કહ્યું બીજા ને માસ્ક પહેરવાની સલાહ આપે છે. પણ પોતે પહેરતા નથી. જાણો બીજુ શું કહ્યું
 

Ladki Bahin Yojana। યોજના બહેનોની, લાભ પુરુષોને? ‘લાડકી બહેન’ માં ૧૪,૦૦૦ ભાઈઓ પકડાતા હડકંપ; ૮૦ લાખ નામો કપાવા પર દેવેન્દ્ર ફડણવીસનો મોટો ખુલાસો
Mumbai Monsoon Update।મુંબઈ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે ચોમાસું; આ ચોક્કસ તારીખથી વાતાવરણમાં આવશે પલટો!
Maharashtra FDA Gutkha Raid 2026। મહારાષ્ટ્રમાં ગુટખા માફિયાઓ પર એફડીએનો મોટો પ્રહાર રાજ્યભરમાં દરોડા પાડી ₹૬ લાખથી વધુનો પ્રતિબંધિત જથ્થો જપ્ત
Pune Illicit Liquor Case 2026। મહારાષ્ટ્રમાં લઠ્ઠાકાંડથી હાહાકાર! પુણેમાં ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધીમાં ૧૮ ના મોત, વધુ નફાની લાલચમાં ભેળવાયું હતું મેથેનોલ
Exit mobile version