Site icon News Continuous Bureau | Mumbai

PMAY-G: પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણમાં દેશમાં અગ્રેસર ગુજરાતના પરફોર્મન્સને કેન્દ્ર સરકારની મહોર, વધારાના આટલા લાખ આવાસ નિર્માણ કરવા મળી મંજૂરી.

PMAY-G: પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણમાં દેશમાં અગ્રેસર ગુજરાતના પરફોર્મન્સને કેન્દ્ર સરકારની પણ મહોર. વધારાના 2.44 લાખ આવાસ-નિર્માણ કરવા માટે મંજૂરી

Pradhan Mantri Awas Yojana- The performance of Gujarat, the leader in the country in rural areas, has also been stamped by the central government

Pradhan Mantri Awas Yojana- The performance of Gujarat, the leader in the country in rural areas, has also been stamped by the central government

News Continuous Bureau | Mumbai

PMAY-G : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં 2024-25ના વર્ષમાં 2 લાખ 99 હજાર આવાસોના લક્ષ્યાંકથી ગુજરાતમાં પ્રતીક્ષા યાદીના લાભાર્થીઓનું 100 ટકા સેચ્યુરેશન સાકાર કરવા ગુજરાત સરકાર ( Gujarat Government ) સજ્જ 

Join Our WhatsApp Channel

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના દરેક જરૂરતમંદ પરિવારને પોતિકું આવાસ-છત્ર આપવા શરૂ કરેલી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં લાભાર્થી લક્ષ્યાંક સિદ્ધિના પરફોર્મન્સમાં 2016થી ગુજરાતની અગ્રેસરતાને કેન્દ્ર સરકારે ( Central Government ) મંજૂરીની મહોર મારી છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણમાં 2024-25ના વર્ષ માટે ગુજરાતને ( Gujarat ) આપવામાં આવેલા 54 હજાર આવાસના લક્ષ્યાંક સામે આ યોજનાના અમલીકરણમાં ગુજરાતની શ્રેષ્ઠતા અને લાભાર્થીઓની વધુ સંખ્યાને ધ્યાને લઈને કેન્દ્ર સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલયે વધારાના 2.44 લાખ આવાસોનો ( Pradhan Mantri Awas Yojana ) લક્ષ્યાંક પી.એમ.એ.વાય.-ગ્રામીણ માટે ફાળવ્યો છે. આ લક્ષ્યાંક સાથે હવે 2024-25ના વર્ષમાં રાજ્યમાં 2 લાખ 99 હજાર પ્રધાનમંત્રી આવાસો ગ્રામીણ ક્ષેત્રોમાં નિર્માણ થશે.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્યના ગ્રામ વિકાસ વિભાગ દ્વારા આ 2.99 લાખ આવાસો પૂર્ણ થતાં ગુજરાતમાં પી.એમ.એ.વાય.-ગ્રામીણના પ્રતીક્ષા-યાદીના પાત્રતા ધરાવતા બધા જ લાભાર્થીઓને આવરી લેવાની કામગીરી પૂર્ણ થઈ શકશે.

આ સમાચાર પણ વાંચો : IORA : ભારતીય મહાસાગર રિમ એસોસિએશન સેમિનારની બીજી આવૃત્તિ યોજાઈ ગોવામાં, આ દેશોના પ્રતિનિધિઓએ ચર્ચામાં લીધો ભાગ.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના ( Bhupendra Patel ) દિશાદર્શનમાં રાજ્યનો ગ્રામ વિકાસ વિભાગ 2.99 લાખ પી.એમ.એ.વાય.-ગ્રામીણના નિર્માણ દ્વારા 100 ટકા સેચ્યુરેશન એપ્રોચ સાકાર કરવાની દિશામાં સજ્જ બન્યો છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Brutal Murder Investigation નવી મુંબઈમાં લોહિયાળ રાત સીબીડી બેલાપુરમાં યુવકની ધારદાર શસ્ત્રથી કરપીણ હત્યા, વિસ્તારમાં ફફડાટ!
SIR Campaign શું છે મતદાર યાદી માટેની ‘SIR’ ઝુંબેશ? જાણો શું છે આ પ્રક્રિયા અને શા માટે છે મહત્વની
Railway Update પ્રવાસીઓ સાવધાન! 24 જુલાઈ સુધી લોનાવાલાકરજત ઘાટમાં કામગીરીને લીધે ટ્રેન વ્યવહાર પ્રભાવિત, જાણો કઈ ટ્રેનો રદ થઈ?
Fake DCP Exposed 10 વર્ષ સુધી IPS બનીને ફરી રહ્યો હતો ઠગ! અમિતાભ બચ્ચન અને જેકી શ્રોફ સાથેના ફોટા બતાવી લાખોની છેતરપિંડી
Exit mobile version